સાંઢીયા પુલનો પ્રોજેકટ બંબાટ દોડ્યો: ડ્રોઇંગને રેલવેની મંજૂરી, કાલે મિટિંગ

  • July 05, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ ને રેલવેએ લીલીઝંડી આપી, મહાપાલિકાને જાણ કરી: હવે રેલવે પોર્શનનો ખર્ચ અને સ્પેસિફિકેશન્સની ચર્ચા બાકી: જો બધું સમયસર પાર પડે તો ચાલુ માસના અંતે ટેન્ડર




રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપરનો ૫૦ વર્ષ જૂનો સાંઢીયો પુલ દૂર કરી તેના સ્થાને નવો પુલ બનાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો છે, મહાપાલિકા અને રેલવે તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેકટ ઉપર કામગીરી ચાલી રહી છે. દરમિયાન તાજેતરમાં સાંઢીયા પુલનો પ્રોજેકટ બંબાટ દોડ્યો છે અને તેના જનરલ અરેન્જમેન્ટ ડ્રોઇંગને રેલવે તંત્રએ મંજૂરી આપી દીધી છે અને તેની મહાપાલિકાને જાણ પણ કરી આપી છે. આવતીકાલે આ મામલે મહાપાલિકા અને રેલવેના ઇજનેરોની મિટિંગ હોવાનું જાણવા મળે છે.



વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગને રેલવેએ લીલીઝંડી આપી મહાપાલિકાને જાણ કરી છે અને હવે રેલવે પોર્શનનો ખર્ચ અને સ્પેસિફિકેશન્સની ચર્ચા બાકી રહે છે, જો આ બધું સમયસર પાર પડે તો ચાલુ માસના અંતે ટેન્ડર પ્રસિધ્ધ કરી શકાશે અને ચોમાસાના ચાર મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દિવાળી કે નવા વર્ષ સુધીમાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરી શકાય તેવા ઉજળા સંજોગો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application