પ્રભાસના ચાહકોની આતુરતાનો આવ્યો અંત, મેકર્સે 'આદિપુરુષ'ની નવી રીલીઝ ડેટ કરી જાહેર

  • March 28, 2023 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ સ્ટારર આદિપુરુષ સતત વિવાદોમાં ફસાયેલી છે અને તેને જોતા મેકર્સે ફિલ્મની રિલીઝને લઈને મોટો નિર્ણય લીધો હતો. ફિલ્મની ટીમ, જે તેના VFXને લઈને સતત વિરોધનો સામનો કરી રહી હતી, તેણે હાલમાં તેની રિલીઝને આગળ વધારવાનું નક્કી કર્યું છે. હવે ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. મેકર્સે 'આદિપુરુષ'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ આ વર્ષે જૂન મહિનામાં રીલીઝ થશે.
ફિલ્મના પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ભૂષણ કુમાર સાથે 'આદિપુરુષ'ના ડિરેક્ટર ઓમ રાઉત જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે ફિલ્મની રિલીઝ ડેટ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 3D ફોર્મેટમાં 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. ટ્વિટર પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૂષણ કુમાર અને ઓમ રાઉત આશીર્વાદ લેવા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા છે.
​​​​​​​
રિપોર્ટ અનુસાર, પ્રભાસની ફિલ્મ આદિપુરુષ પહેલીવાર 11 ઓગસ્ટ, 2022ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તેની તારીખ બદલીને જાન્યુઆરી 2023 કરવામાં આવી છે. જો કે હવે તેની અંતિમ રિલીઝ ડેટ જણાવવામાં આવી છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જે લોકોને પસંદ આવ્યું ન હતું. ખરાબ VFX ને કારણે ટીઝરને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યું હતું.
પ્રભાસ આદિપુરુષ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. જ્યારે સની સિંહે લક્ષ્મણનો રોલ કર્યો છે અને કૃતિ સેનને સીતાનો રોલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application