મુખ્યમંત્રીએ બાલાજી મંદિરે સફાઇ કરી: વાજપેયી હોલમાં કાર્યકરોને સંબોધન

  • April 22, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વન ડે વન ડિસ્ટિ્રકટ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેના જાહેર કરાયેલા શેડયુલ મુજબ સવારે ૯–૦૦ વાગ્યે ગાંધીનગરથી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. મેયર પ્રદીપભાઇ ડવ, ધારાસભ્યો દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, સંસદ સભ્યો મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા વગેરેએ સ્વાગત કયુ હતું.



સ્વાગતની ઔપચારિકતા પૂરી કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર રોડ પર બાલાજી હનુમાનજી મંદિરે પહોંચ્યા હતાં ત્યાં પૂજન–દર્શન અને આરતીનો લાભ લીધા બાદ સફાઇ કામગીરી કરી હતી. આ કાર્યક્રમમાં એરપોર્ટની સ્વાગતની ટીમ ઉપરાંત ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, ચેતનભાઇ રામાણી સહિતનાઓ સાથે રહ્યા હતાં. બાલાજી મંદિરનો કાર્યક્રમ પૂરો કરીને મુખ્યમંત્રી ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા બાજપેઇ ઓડિટોરિયમ ખાતે કાર્યકર સંમેલનમાં પહોંચી ગયા હતાં ત્યાં પ્રશાંત કોરાટ, નાગદાનભાઇ ચાવડા, ભરતભાઇ બોઘરા, રક્ષાબેન બોળિયા, મનસુખભાઇ ખાચરિયા, મનસુખભાઇ રામાણી, મનિષભાઇ ચાંગેલા વગેરેએ તેનું સ્વાગત કયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application