aajkaal@team
૧૮ જેટલા વ્યક્તિને સુરતની કંપનીમાં રોકાણ કરાવ્યા બાદ કંપની બંધ થઈ જતા યુવાને ચુકવણું કરવા વ્યાજે નાણાં લીધા હતા
ભાવનગરથી થોડે દૂર આવેલા તરસમિયા ગામ ખાતે રહેતા યુવાને સાઇડ બિઝનેસ કરવા માટે કોઈ કંપનીમાંથી રૂપિયા વિવિધ શખ્સોને રોકાણ કરાવ્યા હતા તદુપરાંત આજ વિસ્તાર ખાતે રહેતા બે શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને કોઈ કંપની બંધ થઈ જતા વિવિધ શખ્સોના રોકાયેલા રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું અને યુવાન પાસે વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ફિનાઈલ પી લેતા ગંભીર હાલતી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે ભરત નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ તરસમીયા ખાતે રહેતા પ્રવીણભાઈ પુનાભાઈ માલકીયાએ ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પ્રવીણભાઈએ તથા સાહેદોએ સાઇડ બીઝનેસ શરૂ કરવા માટે સુરતની બિલીવર નામની કોઇનની કંપનીમાં રોકાણ કરવા માટે રાજુભાઇ કરીયાણા વાળા,હરેન્દ્રભાઇ સરવૈયા પડવા વાળા,મનોજભાઇ પડવાવાળા,બાપુ નામના વ્યક્તિ,હસમુખકાકા, પરીમલભાઇ,વિષ્ણુભાઇ, હમીરભાઇ,નાનુભાઇ,ખુશાલભાઇ, રોહીતભાઇ,રમેશભાઇ ચુડાસમા,અજયભાઇ મેર,દિપકભાઇ સોંડાગર,રાકેશભાઇ ડાભી,બુધાભાઇ રાવળ,રાજુભાઇ મહુવાવાળા
રાહુલભાઇ ભરવાડને રોકાણ કરાવી એકાદ વર્ષ સુધી સારૂ એવું વળતર અપાવી પોતે તથા સાહેદોએ રોકાણકારોના રોકાણ ઉપર કમીશન મેળવેલ ત્યારબાદ આજથી બે વર્ષ પહેલા આ બીલીવર કોઇનની કંપની બંધ થઇ જતા રોકાણકારોના રૂપીયાનું ધોવાણ થઇ જતા ઉપરોક્ત શખ્સ એ પ્રવીણભાઈની ઓફીસે અવાર નવાર આવી પેસાની ઉઘરાણી કરી ધાક ધમકી આપતા પ્રવીણભાઈએ રાજુભાઇ મહુવાવાળા પાસેથી રૂ.૫,૦૦,૦૦૦ એક ટકાએ તથા રાહુલભાઇ ભરવાડ પાસેથી ૩,૨,૦૦,૦૦૦ વીસ ટકાએ વ્યાજે લઇ અલગ અલગ રોકાણકારોના નાણાની ચૂકવણી કરી આ વ્યાજે લીધેલ રૂપીયાની રાજુભાઇ મહુવાવાળા તથા રાહુલભાઇ ભરવાડે ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા પ્રવીણભાઈએ પોતાનું જીવન ટુંકાવવા ફીનાઇલ પી લેતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પ્રવીણભાઈએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશરાબની રેલમછેલ: પાંચ દરોડામાં ૧૧૯૫ બોટલ દારૂ ઝડપાયા
September 20, 2024 03:18 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:17 PMપોરબંદરમાં પ્રથમ વખત માત્ર દારૂનો જ નહીં, તેના ખોખાનો પણ કરાયો નાશ!
September 20, 2024 03:17 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:15 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech