સુરતના અલથાણ વિસ્તારમાં આજે કારમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયેલા શેરબજારના વ્યવસાયી એવા સંદીપભાઈની લાશ મળી આવી હતી. સંદીપએ ડોન્ટ ટચ મી લખી સુસાઈટ નોટ છોડી હતી. આ ઘટના ને પગલે ખટોદરા પોલીસ દોડતી થઈ હતી. વેપારી ઓક્સિજન માસ્ક વડે કાર્બનમોનોક્સાઇડ લઈ કારમાં આપઘાત કર્યો હતો. અને ત્યાર બાદ કારમાં ડોન્ટ ટચ મી, કોલ પોલીસ લખ્યું હતું. આ વેપારી છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો. અને ત્યાર બાદ આપઘાત કરતાં રહસ્ય વધુ ઘેરાયું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા આશીવર્દિ કોમ્પલેક્ષમાં રહેતા સંદીપ દાલમિયા શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ત્રણ દિવસ પહેલા સંદીપભાઈ ગુમ થઈ ગયા હતા. જે અંગે પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો ક્યાંય પત્તો ન લાગતા પરિવારજનોએ ખટોદરા પોલીસ મથકમાં તેમની ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન આજે વહેલી સવારે અલથાણા સોહમ સર્કલ પાસેથી એક આઈ20 કાર મળી આવી હતી જેમાં સંદીપભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં ડોન્ટ ટચ મી લખ્યું હતું.
આ સાથે સાથે કારમાંથી કાર્બન મોનોક્સાઈડ બે બોટલો પણ મળી આવી હતી. જેથી વેપારીએ કાર્બન મોનોક્સાઈડ લઇ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. ફાયર વિભાગે ફાયર સેફ્ટી સાથે આ કાર ખોલી હતી.જો કે તેમને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી આ બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech