જામનગર આવતીકાલે કોર્ટમાં જે તે કેસનું સ્ટેજ જાળવી રાખવામાં આવશે....જાણો કેમ?

  • May 01, 2024 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આવતીકાલે કોર્ટમાં જે તે કેસનું સ્ટેજ જાળવી રાખવામાં આવશે....જાણો કેમ?


જામનગર:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જામનગર મુકામે આવવાના હોય તેના કારણે પ્રોટોકોલ મુજબ કલેકટર  જામનગર ના જાહેરનામાં મુજબ કોર્ટની આજુબાજુ ના રસ્તાઓ તેમજ બીજા ઘણા બધા રસ્તાઓ આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી બંધ રહેવાના હોય જેથી કોર્ટે આવવા માટે વકીલઓને તથા પક્ષકારોને કોર્ટે આવવામાં મુશ્કેલી થાય તેમ હોય તેમ જ પાર્કિંગ અંગે પણ મુશ્કેલી થાય તેમ હોય.જેથી આજરોજ જામનગરના  pdj જોષી સાહેબને રૂબરૂ મળી આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી

અને જામનગર વકીલ મંડળે ઠરાવ કરી ડિસ્ટ્રીક કોર્ટમાં આપી દીધેલ છે.
આવતીકાલે કોઈપણ વકીલ મિત્ર કે પક્ષકાર કોર્ટમાં પોતાના કેસમાં ના આવી શકે એમ હોય તેથી કોઈપણ ના કેસમાં કોઈપણ પ્રકાર નું નુકસાન થશે નહીં તેમજ કોઈ વકીલ  કે પક્ષકાર હાજર રહે કે ના રહે રિપોર્ટ આપે કે ન આપે તો પણ દરેક કેસનું જે તે સ્ટેજ જાળવી રાખવા અંગે ઠરાવ કરી સાહેબને રૂબરૂ મળી ઠરાવ આપી દીધેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application