શહેરમાં મચ્છરજન્ય રોગ અટકાવવા જામ્યુકો દ્વારા દવા છંટકાવ

  • February 16, 2023 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે હાલમાં શહેરનાં તમામ વોર્ડ વિસ્તારમાં મેલેરિયા શાખા દ્વારા આઉટડોર ફોગીંગ કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં દૈનિક ધોરણે માઈક્રોપ્લાન બનાવી શહેરમાં વોર્ડ વાઈઝ ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી મચ્છરજન્ય રોગો જેવાકે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસોમાં ઘટાડો લાવવાનું શક્ય બની શકે છે. શહેરમાં નદી કિનારાનાં વિસ્તારો, મોટી કેનાલ, ખુલ્લી ગટર વગેરેમાંથી મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે માઈક્રોપ્લાન બનાવી દૈનિક ધોરણે શહેરના અલગ-અલગ વોર્ડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યું છે.


આ ઉપરાંત શહેરમાં ૧૨ આરોગ્ય કેન્દ્ર પર વાહકજન્ય રોગ અટકાયત અંગેની કામગીરી ચાલુ છે, જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે, લોકોમાં વાહકજન્ય રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનાં કાર્યો, એબેટ કામગીરી, ઇન્ટ્રા ડોમેસ્ટિક એન્ટી લાર્વલ સર્વેલન્સ કામગીરી વગેરે જેવા વિવિધ રોગ અટકાયતી કામગીરી થઇ રહેલ છે. જેમાં શહેરીજનોનો પુરતો સહકાર મળી રહે તે બાબત ખુબજ અગત્યની છે. જે માટે શહેરીજનોને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે. 


શહેરના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની અંદર કોઈપણ પાણી ભરેલ પાત્ર ખુલ્લું ન રહે તે અંગે તકેદારી રાખવી. પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર - ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું જેથી મચ્છર ઉત્પતિ પર નિયંત્રણ લાવી શકાય. મચ્છરોનાં કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.


"ડ્રાય ડે ઉજવો :- દર અઠવાડિયે એકવાર સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મીનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનાં પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા."
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application