સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમ લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ઘણા બધા ફિલ્મી સિતારાઓ અને તેમના સંતાનો ટ્રોલ થયા બાદ મિડીયા પર પોતાના કોમેન્ટ આપવાનું બંધ કરી ચુક્યા છે. એવામાં દબંગ ગર્લ સોનાક્ષી સિંહા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ કારણોસર ટ્રોલ થઇ રહી છે. આટલો અન્ય કોઈ અભિનેત્રી અત્યાર સુધી વિવાદમાં આવી નથી.
સોનાક્ષી જ્યારે પોતાના પિતાને સમર્થન કર્યું ત્યારે તેને ટ્રોલ કરવામાં આવી હતી, તો કેબીસીમાં સંજીવની બૂટી લઇને અગાઉ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી, આ વખતે કંઈક એવું થયું કે તેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જ પોતાની ટ્વીટ ડિલીટ કરવી પડી છે.
સોનાક્ષીએ પોતાના વજનને લઈને નિવેદન આપ્યું હતું અને ટ્વીટમાં જણાવ્યું હતું કે કઈ રીતે તેણે દબંગ ફિલ્મ માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું. પરંતુ ફરીથી લોકોએ તેની આ બાબતે ટ્રોલ કરવાની કોશિશ કરી હતી.
એક યૂઝરે સોનાક્ષીને ટ્રોલ કરતા લખ્યું હતું કે વ્યક્તિ દુનિયાની દરેક ચીજવસ્તુ નિહાળી શકે છે પરંતુ આંખની અંદર કઈ પણ જતું રહે તો જોઈ શકાતું નથી.જોવું હોય તો પોતાની અંદરની ખામીઓ જોવાની કોશિશ કરવી જોઈએ અને એક યૂઝરે લખ્યું હતું કે તને ટ્રોલ કરવાની મજા જ કંઇક અલગ છે.
એક યૂઝરે લખ્યું હતું કે સોનાક્ષી સિંહા એક વખત તમારી પ્રમાણિકતા ખોવાઈ જશે તો લોકોને કોઈ ફરક નથી પડતો કે તમે 30 કિલો વજન ઘટાડવામાં કેટલી મહેનત કરી હતી. તમે તમારી ઇજ્જત ગુમાવી છે અને એ સૌથી ખરાબ બાબત છે. તમને કોઈ ના મરવાથી પણ ફરક નથી પડતો અને હવે અમને પણ તમારી નેપોટિઝમની દુકાનથી કોઈ ફરક નથી પડતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech