ભારતીય પાક શાસ્ત્રમાં પાકા ટામેટાનું મહત્વ ખૂબ જ જોવા મળે છે. ઘણા બધા શાકમાં ટામેટા નાખવાથી શાકનો સ્વાદ વધારવા માટે લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. એવામાં જ્યારે ટામેટાના ભાવ વધી જાય ત્યારે લોકોને દુઃખ થતું હોય છે. પરંતુ ટામેટાના નુકસાન વિશે તમે જાણશો તો તમને તે દુઃખ એટલું વધારે નહીં લાગે.
ટામેટાનું સેવન કરવાથી તમાને એસિડિટી થઇ શકે છે. વધારે માત્રામાં ટામેટા આરોગવાથી પિત્તની સમસ્યા થાય છે અને તેના કારણે એસિડિટી થતી હોય છે.
ટામેટાની સાથે સાથે તેના બીજ પણ શરીરમાં જતા તમે રોકી શકતા નથી. પરંતુ ટામેટાના આ બીજ પેટમાં જવાથી પથરીના દર્દી બની શકો છો. કારણકે આ બીજ સરળતાથી કિડનીમાં પહોંચી અને પથરી કે સ્ટોનનું નિર્માણ કરે છે.
ટામેટામાં રહેલા ટરપીન્સ નામના તત્વ શરીરમાં દુર્ગંધનું કારણ બની શકે છે, પાચન દરમિયાન તેનું વિઘટન શરીરની અંદર થતા દુર્ગંધ પેદા કરે છે.
આજકાલ ઓર્ગેનિક ટામેટા કુદરતી રીતે પાકતા નથી, પરંતુ ઇન્જેક્શન કેમિકલનો ઉપયોગ કરી અને પકાવવામાં આવે છે અને તે બજારમાં ઉપલબ્ધ હોય છે, તમારા માટે એસીડીટી, બ્લડ પ્રેશર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા ઉત્પન્ન કરે છે.
જો તમને હંમેશા પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય તો ટામેટાજનું સેવન ઓછું કરવું જોઈએ, જે તમારા માટે લાભકારક રહેશે કારણ કે ટામેટા ગેસ પેદા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઅમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે
April 21, 2021 10:32 AMગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત
April 21, 2021 10:22 AMઅમદાવાદની સિવિલમાં ચાર ગણો ઓક્સિજન વપરાશ, માત્ર 15 દિવસમાં 764 ટન
April 21, 2021 10:17 AMકોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
April 21, 2021 10:13 AMજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech