ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમે તેની પ્રથમ ત્રણ મેચ જીતી છે. ભારતે અમેરિકાને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય કર્યું છે. દરમિયાન, રિઝર્વ ઓપનર શુભમન ગિલ અને ઝડપી બોલર અવેશ ખાનને શનિવારે આયર્લેન્ડ સામેની ટીમની અંતિમ T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજની મેચ બાદ ભારતીય ટીમમાંથી 'રિલીઝ' કરવામાં આવશે.
આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા BCCIના એક સૂત્રએ જણાવ્યું, “શુભમન અને અવેશ અમેરિકામાં ગ્રુપ લીગ સ્ટેજ સુધી જ રહેવાના હતા. આ પહેલેથી જ નક્કી હતું. તેથી આયર્લેન્ડ સામેની મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ મેનેજમેન્ટને સુપર એટ તબક્કામાં ચાર સ્ટેન્ડબાય ખેલાડીઓ લેવાની જરૂર નથી લાગતી. તેથી, કેરેબિયન લેગ દરમિયાન માત્ર રિંકુ સિંહ અને ખલીલ અહેમદ જ ટીમ સાથે રહેશે. ગિલ અને અવેશને ટીમમાંથી હટાવવા પાછળનો તર્ક ખૂબ જ સરળ છે. જો કેપ્ટન રોહિત શર્મા કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થાય છે તો ટીમ પાસે યશસ્વી જયસ્વાલનો વિકલ્પ છે, આવી સ્થિતિમાં ચોથા ઓપનરની જરૂર નથી.
શુભમન ગિલે ન્યૂયોર્કમાં વધુ બેટિંગ પ્રેક્ટિસ પણ કરી ન હતી જ્યારે રિંકુ નેટ સેશનમાં ઘણો સમય વિતાવતો હતો. રિંકુ મિડલ ઓર્ડરમાં કોઈપણ ખેલાડીને રિપ્લેસ કરવાની ક્ષમતા ધરાવે છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે હાર્દિક પંડ્યા અને દુબેની સાથે ત્રણ ઝડપી બોલરોની હાજરીને કારણે અવેશની કોઈ જરૂર નથી અને આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ખલીલનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech