જામજોધપુરના ઈસમને તાંત્રીક વીધી કરી રૂપિયા ઠગનાર આરોપીને જામીન મુકત કરતી જામનગરની સેશન્સ કોર્ટ
આ કેસની ટૂંકી વીગત એવી છે કે, આરોપી અનવર ઉર્ફે અનવરબાપુ અબુભાઈ સુલેમાનભાઈ એ જામજોઘપુરના વતનીને તાંત્રીક વીધી કરી રૂપીયા બનાવી આપશે એમ કરી વીશ્વાસમાં લઈ અને તેમના જામનગર દીકરાના ઘરે આવેલ અને ફરીયાદીને જણાવેલ કે કલ્યાણપુરમાં તમારા ખેતરમાં તમને સોનાનો ધડો મળશે તેવી ખાત્રી આપી વિશ્વાસમાં લઈ અને તેમના ઘરે તાંત્રીક વીધી કરી અને એક હાંડો આપેલ અને તેમને પુછયા વગર ન ખોલવાનું જણાવેલ અને પછી ફરીયાદી તથા તેમના દીકરાને ફોન કરી જણાવેલ કે, હવે તમે આ મે કરાવેલ તાંત્રીક વીધીના રૂપીયા આપશો તો જ તમારું કામ આગળ વધશે નહી તો તમારું કોઈ કામ થશે નહી અને તમારા પરીવારનું ધનોધ-પનોત નીકળી જશે.
તેમ જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ફરીયાદી પાસેથી કટકે-કટકે આંગળીયા પેઢી મારફતે આશરે ૧૦,૦૦,૦૦૦/- અંકે દસ લાખ પુરા/- જેટલા રૂપિયા પડાવી લઈ બાદ સદરહું બનાવના દસેક દીવસ બાદ ફરીયાદીએ આરોપીને ઘડો ખોલવા બાબતે વાત કરતા આરોપીએ તમારી વીધીમાં હજુ વિઘ્ન આવે છે જેથી અત્યારે ધડો ખોલતા નહી તેમ જણાવી બાદ સદરહું બનાવના પાંચેક દિવસ બાદ ફરીયાદીએ આરોપી ફરીયાદીનો ફોન ન ઉપાડી ફરીયાદીનો ફોન બ્લેક લીસ્ટમાં નાખી ફરીયાદી સાથે છેતરપીંડી કરેલની ફરીયાદ આપતા શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ– ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૩૮૬, ૫૦૬ (૨) મુજબ જામનગર શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી.
જે ગુન્હાના કામે અનવર ઉર્ફે અઘરબાપુ અબુભાઈ સુલેમાનભાઈની ધરપકડ થયેલ. જે જામીન અરજીના અનુસંધાને આરોપીના વકીલ અશોક એચ.જોશીની દલીલોને માન્ય રાખી આરોપી જામનગરના એડી.સેસન્સ કોર્ટ દવારા અનવર ઉર્ફે અનવરબાપુ અબુભાઈ સુલેમાનભાઈને જામીન પર મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં આરોપી અનવર ઉર્ફે અનવરબાપુ અબુભાઈ સુલેમાનભાઈના જાણીતા વકીલ અશોક એચ.જોશી રોકાયેલ હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech