જામનગરમાં રહેતી એક પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના પતિ સહિતના સભ્યોએ દહેજના કારણે ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી, આથી તેણીએ પોતાના અર્કિટેક્ટ પતિ સહિતના સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં શેરી નંબર-૧માં રહેતી રાધિકાબેન કેતનભાઇ મકવાણા નામની ૨૮ વર્ષની પરણીતાએ જામનગરના મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ખાતે રહેતા આર્કિટેક કેતન પ્રવીણભાઈ મકવાણા, ઉપરાંત સસરા પ્રવીણભાઈ નરસિભાઈ મકવાણા, અને સાસુ ચંપાબેન પ્રવીણભાઈ મકવાણા સામે દહેજ ધારા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી યુવતી કે તેણીને છેલ્લા એકાદ વર્ષથી આર્કિટેક પતી કેતનભાઇ, તથા સાસુ- સસરા દ્વારા દહેજના મામલે ત્રાસ ગુજારવામાં આવતો હતો, અને માવતરે થી વધુ દહેજ લઈ આવવાની માંગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી તેણી એ જામનગરના મહીલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech