↵ખંભાળિયાની સરકારી વિનયન-વાણિજ્ય કોલેજમાં વિજ્ઞાન પ્રવાહનો થયો પ્રારંભ
પ્રવેશ મેળવવા ઇચ્છુક વિધાર્થીઓએ ગુજરાત કોમન ઍડમિશન સર્વિસિસના માધ્યમથી ફોર્મ ભરી શકશે
સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, જામખંભાળિયામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ -૨૭થી વિજ્ઞાન પ્રવાહની શરૂઆત કરવામાં આવી છે. અદ્યતન સુવિધા તેમજ નવીન બિલ્ડિંગ ધરાવતી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓએ ૠઈઅજ (ગુજરાત કોમન ઍડમિશન સર્વિસિસ)ના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટરમાં સવારે ૦૯ થી બપોરના ૦૧ કલાક સુધી વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે અને ત્યારબાદ મેરીટના આધારે એડમિશન આપવામાં આવશે તેમ આચાર્ય, સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, જામખંભાળિયાની યાદીમાં જણાવાયું છે.