ખંભાળિયા તાલુકાના સલાયા પંથકનું એક વહાણ અરબી સમુદ્રમાં ગરદ થઇ જતા આ વહાણના ખલાસીઓને અન્ય બોટ મારફતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ અંગે સુમાહિતગાર વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સુલતાન ઈસ્માઈલ સુંભાણીયાની માલિકીનું અને બી.ડી.આઈ. ૧૩૯૮ નંબરના રજીસ્ટ્રેશન ધરાવતું "નિગાહે કરમ" નામનું વહાણ " ગત તા. ૨૭ ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદર ખાતેથી ૮૦૦ ટન ખાંડ ભરી ડીજુબુટ્ટી બંદરે જવા નીકળ્યું હતું. ૧૨ ખલાસીઓ સાથેનું આ વહાણ અરબી સમુદ્રમાં પહોંચ્યું ત્યારે એકાએક વાતાવરણ પ્રતિકૂળ બની જતા આ ખરાબ હવામાનના કારણે આ વહાણે અરેબિયન સમુદ્રની હદમાં જ જળસમાધિ લીધી હતી.
આ માલવાહક જહાજમાં જઈ રહેલા ૧૨ ખલાસીઓને ઇન્ડીયન કોસ્ટગાર્ડ તેમજ નજીકમાં રહેલી મોટર ટેન્કર સી રેન્જર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તમામ ખલાસીઓને સલામત રીતે ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદરે લઈ આવવામાં આવ્યા હતા.
આ બચાવ કામગીરી માટે સલાયા ઇન્ડીયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી દ્વારા કોસ્ટ ગાર્ડને સમયસર ઈ-મેઈલ મારફતે જાણ કરી અને ખલાસીઓને બચાવવા માટેના પ્રયાસો કરાયા હતા. વહાણની જળસમાધિના આ બનાવે સલાયા પંથકના વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech