અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખતરનાક ધમકી આપી છે અને કહ્યું છે કે જો તેઓ ચૂંટણી નહીં જીતે તો મોટાપાયે રક્તપાત થશે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે (16 માર્ચ) ચેતવણી આપી હતી કે જો તેઓ આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરીથી નહી ચૂંટાયા તો દેશમાં "રક્તપાત" થશે.
અહેવાલ મુજબ ડેટન, ઓહાયો નજીક એક રેલીને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હવે, જો હું ચૂંટાઈશ નહીં, તો રક્તપાત થશે." જો કે, ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીનો ખરેખર અર્થ શું હતો તે સ્પષ્ટ નથી, કારણ કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશે ફરિયાદ કરી રહ્યા હતા. ભીડને સંબોધતા, તેમણે કહ્યું કે જો તેઓ ફરીથી ચૂંટાય છે, તો ચીન અમેરિકામાં કોઈપણ વાહનો વેચી શકશે નહીં.
ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ યુએસ સંસદ કેપિટોલ હિલ પર હુમલો કર્યો હતો અને તેમના સમર્થકો સામે કાયદાકીય કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. ઘણા આરોપીઓને વર્ષોની જેલની સજા કરવામાં આવી છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પે 'બંધક' તરીકે સંબોધ્યા છે. તેણે કહ્યું, "તમે બંધકોની લાગણી જોઈ શકો છો." આ દરમિયાન, યુએસ પ્રમુખ જો બિડેને પણ તેમના ભાષણોમાં 6 જાન્યુઆરીની ઘટનાઓ પર કહ્યું કે નવેમ્બરની ચૂંટણીના પરિણામ લોકશાહીનું ભાવિ નક્કી કરશે.
અહેવાલ છે કે કેપિટોલ હિલ હુમલાની ઘટના હજુ પણ રિપબ્લિકન પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે માથાનો દુખાવો બની રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાવા જઈ રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે જો બિડેન ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ તમામ રેટિંગમાં ઘણા આગળ છે અને માનવામાં આવે છે કે આ ચૂંટણીમાં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. ડોનાલ્ડ ટ્રમ્પને ભૂતપૂર્વ રિપબ્લિકન ઉમેદવારો વિવેક રામાસ્વામી, રોન ડીસેન્ટિસ અને નિક્કી હેલીનું સમર્થન મળ્યું છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીના પીઢ નેતા માઈક પેન્સ, જેઓ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા, તેમણે ટ્રમ્પનો વિરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech