લોકડાઉન દરમિયાન બોલિવૂડ અને ટેલિવૂડમાંના ઘણા બધા કલાકારોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. તાજેતરમાં જ અભિનેત્રી રેણુકા શહાણે એ ફેસબુક પર એક પોસ્ટ લખી અને પોતાની મિત્ર અને ટેલિવિઝન અભિનેત્રી નુપુર અલંકારની મદદ કરવા માટેની અપીલ કરી હતી.
નૂપુર અલંકારની માતાની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર હતી, પરંતુ નપુર પાસે પોતાની માતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટેના પૈસા ખૂટી ગયા હતા. આ અપીલના પ્રત્યુતરમાં અક્ષય કુમારે નૂપુરની મદદ કરી અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રેણુકા એ અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો છે અને અક્ષય કુમારને એક એન્જલ કહી અને સંબોધન કર્યું છે. રેણુકા એ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યુ હતું કે હું તમામ મિત્રોનો કયા શબ્દોમાં આભાર માનું કે જેઓએ ખરાબ સમયમાં મારી મિત્રની મદદ કરી છે.
એ દરેક વ્યક્તિના યોગદાન માટે હું આભાર માનું છું. ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એન્જલે તેના માટે એક અજાણી વ્યક્તિ નૂપુરની મદદ કરવાનો નિર્ધાર કર્યો નુપુર તેની માતાની સારવાર સારી રીતે કરાવી શકી.
રેણુકાએ જણાવ્યું હતું કે આ એન્જલએ બીજું કોઈ નહીં પરંતુ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર છે. અક્ષય કુમાર એક એવો વ્યક્તિ છે કે જેનું દિલ શુદ્ધ સોના જેવું છે.
અક્ષય કુમારજી તમારે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ધન્યવાદ શબ્દ પણ નાનો પડે તેમ છે. હું દુઆ કરું છું કે તમને અને તમારા પરિવારને ઈશ્વર તમામ ખુશીઓ પ્રદાન કરે અને તમને સફળતા પ્રાપ્ત થાય. એ જાણી લઈએ કે નુપુર અલંકાર દિયા બાતી, હમ તથા ઇસ પ્યાર કો ક્યા નામ દુ.....જેવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech