ગાંધીનગર પાસે આવેલ ખાનગી કંપની દ્વારા પ્રદૂષણ અને ઘોંઘાટ અંગે મ્યુ. કમિશ્નરને આવેદન

  • January 21, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર પાસે નદીના કાંઠા પાસે આવેલ રહેણાંક વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી નામની કંપની દ્વારા ખૂબ જ અવાજ, ઘોંઘાટ અને સ્વાસ્થ્ય, જાનમાલ તથા મકાનોને નુકશાન થાય છે, આ અંગે તાત્કાલિક પગલા લેવાની માંગણી વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મ્યુ. કમિશ્નરને આપેલા આવેદનપત્રમાં કરી છે.


આ આવેદનપત્રમાં નદીના કાંઠાની બન્ને બાજુ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા કચરો નાખીને વિજળીની ઉત્પાદન કરવાનો પ્લાન નાખવામાં આવેલ છે, ત્યારે ખૂબ જ મોટા અવાજો અને ઘોંઘાટ થાય છે, જેથી આજુબાજુમાં રહેતા લોકો સૂઇ શકતા નથી કે વિદ્યાર્થીઓ ઘોંઘાટના કારણે વાંચન કરી શકતા નથી, લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ અંગે કંપનીના અધિકારીઓને રૂબરૂ મળવા જતાં તેઓએ કહ્યું હતું કે, સાયલેન્સર નાખવાથી અવાજ નહીં થાય, પરંતુ હજુ સુધી આ અવાજ બંધ થયો નથી.





આ જગ્યાએ શહેર-જિલ્લાનો કચરો નાખવામાં આવે છે અને આ પ્લાન્ટમાંથી રાખ અને દુર્ગંધ આવતી હોય લોકોના સ્વાસ્થ્ય અને હાનિ થાય છે, પર્યાવરણને નુકશાન થાય છે, આખા વિસ્તારમાં કચરાના પ્લાન્ટની ખરાબ વાસ આવે છે, લોકો રહી શકતા નથી અને ભવિષ્યમાં લોકો મકાન છોડીને ચાલી જાય તેવી દહેશત છે, ત્યારે શહેરથી આ પ્લાન્ટ ૧૦ કી.મી.દૂર કે રહેણાંક મકાનો ન હોય, આ અંગે તપાસ કરી રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવા આ આવેદનમાં જણાવાયું છે, પર્યાવરણને પણ નુકશાન થાય છે, જેથી તાકીદે તપાસ કરી આ પ્લાન્ટ બંધ કરવાની માંગણી આ આવેદનમાં કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application