સામગ્રી :
1 કિલો ચણાનો લોટ
1 ચમચી જાયફળ અને ઈલાયચી નો ભુકો
800 ગ્રામ ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી
750 ગ્રામ દેસી ઘી
નાની અડધી વાટકી દૂધ અને નાની અડધી વાટકી ઘી (હૂંફાળું ગરમ) બંને મીક્સ કરીને ધાબો દેવા માટે
ખસખસ ના બીજ ઉપર છાંટવા માટે
રીત
સૌથી પહેલા ચણાના લોટને ચાળી લેવાનો અને તેમાં ધાબો દેવા માટે જે દૂધ ઘી હૂંફાળું મિક્સ કરેલું લીધેલું છે તે ઉમેરી દેવાનુ અને પછી હાથથી મોણ આપી એવી રીતે મિક્સ કરી દેવો,
હવે થોડું થોડું કરીને મિક્સરમાં પીસી લેવું અને પછી આ જે મિક્સરમાં પીસાતો જાય તેને કડાઈમાં ઉમેરતું જવાનું .
તે જ કડાઈમાં બધું જ ઘી ઉમેરી દેવાનું અને પછી શરૂઆતમાં બે મિનિટ ફાસ્ટ ગેસ માં શેકવું પછી કડાઈ સરસ થી ગરમ થઈ જાય એટલે ગેસની આંચ ઓછી કરી દેવાની.
પછી 45 મિનિટ સુધી ઓછી આંચમા સતત હાલાવ્યા રાખવાનું અને હા લગભગ 35 મીનીટ જેટલો ટાઇમ થાય એટલે 3 થી 4 ચમચી જેટલુ દુધ છાટ મારતા મારતા હલાવતા રહેવુંર ગોલ્ડન બ્રાઉન કલર થઇ જશે.
ચણાના લોટનો ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં ઈલાયચી અને જાયફળ નો પાવડર ઉમેરી દેવો.
હવે ચાસણી બનાવવા માટે બીજી કડાઈમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને ફાસ્ટ ગેસે હલાવતા રહેવાનો પછી ચાસણી ચેક કરવી હવે ચાસણી ચેક કરવા માટે વાતાવરણ કેવું છે એ પ્રમાણે ચાસણીને આપણે કરવાની અને ચણાના લોટની કડાઈમાં પણ ચમચો હલાવ્યા કરવો વચ્ચે વચ્ચે જેથી કરીને ગરમ હોવાને કારણે નીચે તે બેસે નહીં.
નોંધ
જો ચોમાસુ હોય તો વધુ કડક ચાસણી કરવી એટલે કે બે તાર જેવી કરવાની.
જો શિયાળો હોય તો એકતાર ની ચાસણી કરવાની
જો ઉનાળો હોય તો ડોઢ તાર ની ચાસણી કરવાની
હવે એક તરફ ચણાનો લોટ સેકાઈ ને તૈયાર થઈ ગયેલો છે અને ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે આ બંનેને ઠરવા દો
બંને હલકો ગરમ હોય ત્યારે મિક્સ કરવાનું વ્યવસ્થિત રીતે મિક્સ કરીને પછી ઘી લગાવેલી થાળીમાં ઢાળી દેવાનો અને ઉપરથી ખસખસ ના બીજ ભભરાવી દેવાના અને કાપા પાડી લો.
હવે તમારો મોહનથાળ બની અને તેયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech