દેશવાસીઓ ભજન સાથે શેર કરી વડાપ્રધાને ઓસમાણ મીરના કર્યા વખાણ, ૨ દિવસ પહેલા ગીતા રબારીનું રામ ભજન કર્યું હતું શેર
ઓસ્માન મીર માત્ર ગુજરાતી જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપી ચૂક્યા છે. તેમની ખ્યાતી દેશ-વિદેશમાં છે ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમણે ગાયેલું રામ ભજન પણ લોકોને ઘણું પસંદ પડી રહ્યું છે. આ ભજનને પસંદ કરનારા લોકોમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થયો છે. તેમણે ઓસમાણ મીરે ગાયેલા ભજનની પ્રશંસા કરીને લખ્યું છે કે, “અયોધ્યા નગરીમાં શ્રી રામજીના પધારવાને લઈને ઉમંગ અને ઉલ્લાસ છે. ઓસ્માન મીરજીએ આ મધુર રામ ભજન સાંભળીને તમને તેની દિવ્ય અનુભૂતિ થશે.”
ઓસમાણ મીરે આ ગીત ૮મી જાન્યુઆરીએ યુ-ટ્યુબ પર રજૂ કર્યું હતું જેને લાખો લોકો સાંભળી ચૂક્યા છે. હજારો લોકો તેમના ભજન અને કંઠની પ્રશંસા કરી રહ્યા છે જેમાં એક યુઝરે લખ્યું છે કે, તમારું રામ ભજન સાંભળીને મનભાવન અનુભૂતિ થઈ છે. આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ કચ્છની કોયલથી જાણીતા ગીતા રબારીએ ગાયેલું ભજન શેર કરીને તેમના કંઠ અને ભજનની પ્રશંસા કરી હતી. આ સિવાય દેશના વિવિધ ગાયકો દ્વારા રામ ભક્તિમાં લીન થઈને ભજન ગાવામાં આવી રહ્યા છે તેમની કૃતિઓને પણ વડાપ્રધાન મોદી શેર કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ભારતમાં પણ લોકો ઘરે બેઠા આ કાર્યક્રમને નિહાળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMI vs GT મેચમાં હાર્દિક પંડ્યા અને સાઈ કિશોર વચ્ચે થઈ હતી લડાઈ, જાણો સાઈ કિશોરે શું કહ્યું
March 30, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech