BREAKING NEWS

ધોરાજીના રામ ચરિત્ર માનસ ગ્રુપ દ્વારા સીદસર ખાતે રામધૂન યોજાઈ

  • May 01, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના રામ ચરિત્ર માનસ ગ્રુપ દ્વારા સીદસર ખાતે રામધૂન યોજાઈ 

સીદસર ઉમિયા માતાજી મંદિરના પૂજારી કેતનભાઈ મહેતા (ભગતભાઈ)ના માતાનું તાજેતરમાં અવસાન થતાં સદગત અનસુયાબેન મહેતાને શ્રધ્ધાજંલિ સ્વ‚પે સીદસર રામમંદિર શેરીમાં રામ ચરિત્ર માનસ ધોરાજી ગ્રુપના સભ્યો દ્વારા રામધૂન,ભજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાઇને ધન્યતા અનુભવી હતી. રામધૂન ભજન કાર્યક્રમ બાદ રામ ચરિત્ર માનસ ધોરાજીના તમામ સભ્યોનું કેતનભાઈ મહેતા,શંકરભાઈ મહેતા, શંભુભાઈ મહેતા,બંસીભાઈ મહેતા,સચિનભાઈ મહેતા, લાલાભાઈ મહેતા,સંજયભાઈ મહેતા નિરવભાઈ મહેતા (કાના અદા) દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application