ધીમે ધીમે લોકડાઉનમાં મળેલી રાહતની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પહેલાની જેમજ કાર્યરત થવા જી રહી છે. તેમજ સેક બાદ એક ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મોની જાહેરાત પણ શરૂ થઇ ગઇ છે. આ સાથે જ ગત દિવસોમાં ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ તેમની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ 'મર્ડર' છે તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હશે. આ ફિલ્મ ખોટી શાન માટે કરવામાં આવેલી હત્યાની વાર્તા પર આધારિત હશે. પરંતુ એવું આવ્યું છે કે આ ફિલ્મ કાયદાકીય સકંજામાં ફસાઇ ગઇ છે.
આ અંગે બોલીવુડ સુત્રો પાસેથી પ્રપ્ત માહિતી મુજબ રામ ગોપાલ વર્મા ગત દિવસોમાં ફિલ્મ બનાવવા માટે એક વિષયની શોધમાં હતા જે બાદ તેમણે 'મર્ડર'ની જાહેરાત કરી. ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ આ ફિલ્મ તેલંગાનામાં ખોટી શાન માટે કરવામાં આવેલી હત્યાની વાર્તા છે. આ ફિલ્મ અંગ જાણકારી મળતા ઘટનાનાં પીડિતોએ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ પગલા ભર્યા છે.
સત્ય ઘટના પ્રમાણે 2018માં થેયલાં કાંડમાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તેનાં પિતાએ આ મુદ્દે ફિલ્મ બનાવવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર, પિતાએ આ મામલે કોર્ટનો સહારો લીધો છે. તેમની એ પ્રકારની દલિલ છે કે, આવા કેસ પર ફિલ્મ બનાવવી તે યોગ્ય નથી. તેમણે આરોપ મુક્યો છે કે , પીડિત પરિવારની સહમતિ વગર તે તેમનાં દીકરાની તસવીરનો ઉપયોગ કરવામાં આવુઓ છે. પોલીસે જણાવ્યા અનુસાર, તેલંગનાનાં મૃયલગુડામાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસને કોર્ટ દ્વારા આદેશ શનિવારે મળ્યો હતો. પોલીસ મુજબ આ મામલે વર્મા ઉપરાંત ફિલ્મનાં નિર્માતાનું નામ પણ દ્ર્શ્વાયું છે. રામ ગોપાલ વર્માએ આ મુદ્દા પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જેથી ગત મહિને જ મૃતકનાં પિતાએ કોર્ટનો સહારો લીધો હતો. 2018માં આ કેસ બન્યો હતો. ખોટી શાનનાં નામ કથિત રીતે હત્યાની ઘટના બની હતી અને આ કેસ ચર્ચામાં આવ્યો હતો. જેમાં એક યુવતીએ અન્ય જાતીનાં વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતાં. જે બાદ યુવતીનાં પતિની હત્યા કરાવવામાં આવી હતી. આ કેસમાં યુવતીનાં પિતા પર આરોપ લાગ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech