અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા છે... આ ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે.ત્યારે આજે મુક્તાબેનનો પાર્થિવદેહ આજે રાજકોટ પહોંચ્યો છે.મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દિકરા મયુરને મળવા માટે જતા હતા અને પ્લેન ક્રેશમાં તેનું મૃત્યુ થયું.
આજે પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો
ત્યારે આજે પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો છે.આ મામલે કરણભાઈ રાઠોડે કહ્યું કે 12 તારીખે આ ઘટના બની તેના બીજા દિવસે એટલે 13 તારીખથી અમદાવાદમાં હતાં.ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે DNA મેચ થયા બાદ તમને ફોન આવશે.જેથી અમને ગઈકાલે રાતે અમને કોલ આવ્યો હતો.સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી આપવામાં આવી હતી.
દીકરીનું DNA લેવામાં આવ્યું હતું
અમારા પરિવારમાંથી મૃતકની દિકરીનું DNA લેવામાં આવ્યું હતું.મૃતક મુક્તાબેનનો પુત્ર અને પુત્રવધુ અને પૌત્ર-પૌત્રી લંડનમાં હતા.જેથી તેઓ તેમને મળવા જતાં હતાં.દિકરાએ લંડનમાં પોતાનું ઘર લીધુ હતું.. જેથી તેઓ દિકરાના ઘરે જતા હતા. મૃતક મુક્તાબેન રાજકોટમાં એકલા જ રહેતા હતા.કરણભાઈ મૃતક મુક્તાબેનના મોટા ભાઈ છે.
પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
મહત્વનું છે કે મુક્તાબેન લંડન રહેતા પોતાના સંતાન મયુરભાઈને ત્યાં રોકાવવા માટે જતા હતા. રાજકોટના ભૂતપૂર્વ કોર્પોરેટર દિવંગત મનુભાઈ રાઠોડના બહેન અને શહેરની ગરૈયા કોલેજના સંચાલક વનરાજભાઈ ગરૈયાના માસી મુક્તાબેનના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓ
મુક્તાબેનના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે. તેમનો પુત્ર મયુર, તેમની પુત્રવધૂ આશાબેન, પૌત્ર વરુણ અને પૌત્રી બંસરી લંડન રહે છે. જ્યારે મુક્તાબેનની બંને દીકરીઓ રચનાબેન અને મીનલબેન સાસરે છે. ત્યારે આજે મુક્તાબેનનો પાર્થિવદેહ રાજકોટ આવી પહોંચતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech