જ્ઞાન વિધાલય ગુરૂકુળમાં સોલાર પાઇપ ફાટતા દાઝી ગયેલા રાજકોટના છાત્રનું મોત

  • March 20, 2023 11:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડઘરીના મોટા રામપરા ગામે આવેલી
ગત તા. ૧૪ માર્ચના બનેલા બનાવમાં બે વિધાર્થીઓ દાઝયા હતા એકના એક પુત્રના મોતથી રેલનગરમાં રહેતા પરિવારમાં ગમગીની




પડધરી તાલુકાના મોટા રામપરા ગામે આવેલી શ્રી જ્ઞાન વિધાલય ગુકુળમાં ગત તારીખ ૧૪ માર્ચના હોસ્ટેલમાં સોલાર પાઇપ ફાટતા બે વિધાર્થીઓ દાઝી ગયા હતા. જેમાં સારવાર દરમિયાન ધોરણ ૮ માં અભ્યાસ કરતા ૧૩ વર્ષના છાત્રનું આજરોજ મોત થયું છે. યારે અન્ય છાત્ર હજુ પણ સારવારમાં હોવાનું માલુમ પડું છે. એકના એક પુત્રના મોતથી વિધાર્થીનો પરિવાર આઘાતમાં સરી પડો છે.



બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ ૧૪૩ ના રોજ પડધરીના મોટા રામપરા ગામે આવેલી શ્રી જ્ઞાન વિધાલય ગુકુળ હોસ્ટેલમાં બે વિધાર્થીઓ અગાસી પર હતા ત્યારે સોલાર પાઇપ ફાટતાં બે વિધાર્થીઓ કે જેમના નામ મિત પંકજભાઈ કોટડીયા(ઉ.વ ૧૩ રહે છત્રપતિ શિવાજી ટાઉનશીપ રેલનગર ૧૪૩ નો ખૂણો રાજકોટ) તથા ઓમ દિનેશભાઈ બુસા(ઉ.વ ૧૩ રહે.જીલરીયા તા. પડધરી) દાઝી ગયા હતા જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.દરમિયાન આજરોજ હોસ્પિટલ બીજાને મીત પંકજભાઈ કોટડીયાએ દમ તોડી દીધો હતો. મીત તેના માતાપિતાનો એકનો એક પુત્ર હતો અને તે અહીં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો તેના પિતા મજૂરી કામ કરતા હોવાનું માલુમ પડું છે. એકના એક પુત્રના આ રીતે અણધાર્યા મોતથી માતા–પિતા તથા પરિવાર આઘાતમાં સરી પડો છે. બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસે જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application