કાલાવડ ખાતે આગામી ૫ ફેબ્રુઆરીના રોજ 'પૂર્વ સૈનિક સંમેલન' યોજાશે

  • January 11, 2023 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં વસતા તમામ માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતો માટે કાલાવડ મુકામે પૂર્વ સૈનિકોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન આગામી તા. ૦૫/૦૨/૨૦૨૩ના સવારે ૦૮:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી કાલાવડ નગર પાલિકા ટાઉનહોલ, બસ સ્ટેન્ડ પાસે, નગર પાલિકા કચેરી આગળ, સરદાર પટેલ ચોક, કાલાવડ ખાતે યોજવામાં આવશે. 


રાજ્ય સરકાર અને રાજ્ય સૈનિક બોર્ડ તરફથી પૂર્વ સૈનિકો/ સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આ સંમેલનમાં આપવામાં આવશે. જામનગર જિલ્લામાં રજીસ્ટર થયેલ દરેક પૂર્વ સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આ સંમેલનમાં હાજરી આપવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર તરફથી આમંત્રણ પત્ર પાઠવવામાં આવ્યો છે.


આ સંમેલનમાં સામેલ થયેલ પૂર્વ સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને તેમજ તેમના આશ્રિતોને બસ/ટ્રેઈનની ટિકિટ અને એસ.બી.આઈ. બેન્ક એકાઉન્ટ પાસબુકની પ્રથમ પાનાંની નકલ જમા કરાવવા પર બસ/ ટ્રેઇનનું ભાડું કોર બેન્કિંગથી ચુકવવામાં આવશે. સંમેલનમાં આમંત્રિત  વ્યક્તિઓએ તેમના હાજર રહેવાની જાણકારી આગામી તા. ૨૫ જાન્યુઆરી સુધીમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ફોન નં. ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર જાણ કરવાની રહેશે.


જેમને આમંત્રણ પત્ર ન મળેલ હોય તે તમામ પૂર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓને આ સંમેલનમાં હાજરી આપવા માટે કમાન્ડર  સંદીપ જયસ્વાલ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application