જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે
જામનગર તા.09 ઓગસ્ટ, જામનગર જિલ્લાના તમામ ખેડૂતો નાણાંકીય વર્ષ 2024-25 માટે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 01/09/2024 થી જિલ્લાના તમામ એ.પી.એમ.સી. કેન્દ્રો ખાતે આ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
તેથી જામનગર જિલ્લાના કપાસની ખેતી કરતા તમામ ઈચ્છુક ખેડૂતોને આમાં રજીસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવે છે અને તે માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરવાના રહેશે. જેમાં ૭-૧૨, ૮- અ, આધાર કાર્ડ, વાવેતર અંગેનું પ્રમાણપત્ર અને
બેંક ખાતાની વિગતો સાથે જોડવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech