હનુમાનજી મહારાજને ભગવાન સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવતાં વિરોધ, 5 તારીખ સુધીમાં શિલ્પચિત્રો નહીં હટાવાય તો બ્રહ્મ સમાજ કરશે વિરોધ

  • August 31, 2023 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સાળંગપુર દાદાનું અપમાન કરાયું હોવાનો વિવાદ સર્જાયો છે. બોટાદના સાળંગપુરમાં આવેલા કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે ભિંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. 


આમ હનુમાનજી દાદાનું અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંત ચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નીચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.


ત્યારે સમગ્ર મામલે રાજકોટમાં બ્રહ્મ સમાજ મેદાને ઉતર્યું છે. આ પોસ્ટર દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સનાતન ધર્મને બદનામ કરી દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્વામી નારાયણ સંપ્રદાયને અલગ પાડવાનો પ્રયાસ કરવામાં આવી થયો છે. આગામી 5 તારીખ સુધીમાં પોસ્ટર હટાવવામાં નહીં આવે તો સાળંગપુર ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ કરશે.

​​​​​​​બ્રહ્મ સમાજ સાથે ક્ષત્રિય સમાજ પણ મેદાને ઉતર્યો છે. આગામી દિવસોમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. સ્વામી નારાયણ સંપ્રદાય હાલ હલકી માનસિકતા જેવું કાર્ય કરી રહી છે. અવારનવાર હિન્દુ દેવી દેવતાઓને નીચા દેખાડવામાં આવે છે. જેને લઇને હવે હિન્દુઓને જાગવાની જરૂર છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application