જો હોમ લોનના વ્યાજ દર વધશે તો લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બનશે : સર્વે
દેશના મોટાભાગના લોકો મકાનો અને જમીન (રિયલ એસ્ટેટ)માં રોકાણ કરવાનું પસંદ કરે છે. રિપોર્ટ અનુસાર, ૬૦% લોકોએ કહ્યું કે તેઓ ૨૦૨૩ના પહેલા ભાગમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગે છે. જ્યારે માત્ર ૫% જ સોનાને તેમના મનપસંદ રોકાણ વિકલ્પ તરીકે માને છે. વ્યાજદરમાં વધારાને કારણે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
સર્વે રિપોર્ટ અનુસાર, દેશમાં હોમ લોનના વ્યાજ દરો હાલમાં લગભગ ૯.૧૫% છે, જે સ્થિર છે. જો કે, ૯૮% લોકોએ કહ્યું કે જો હોમ લોનના દર વધુ વધીને ૯.૫% થી ઉપર જશે તો તેમના માટે ઘર ખરીદવું મુશ્કેલ બનશે. ૨૦૨૩ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ૬૬% થી વધુ લોકોને લાગ્યું કે ફુગાવામાં વધારો થવાથી તેમની પાસે ખર્ચ કરવા માટે પૈસામાં ઘટાડો થયો છે. એટલે કે વધતા જતા ભાવને કારણે લોકોને તેમના નાણાંનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી છે.
આ વર્ષે મોંઘવારી વધવાને કારણે ૬૬% લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી છે, ૩૨% લોકોને મોંઘવારીની ઓછી અસર થઈ છે. ગયા વર્ષે મોંઘવારીને કારણે ૬૧% લોકોની આવક ઘટી હતી. ૬૭% લોકો રહેવા માટે ઘર ખરીદવા માંગે છે, જ્યારે ૩૩% લોકો ભાડાની આવક અને અન્ય કારણોસર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech