જોડીયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા

  • September 21, 2024 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડીયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા

જામનગર તા.21 સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે નહેરુ યુવા કેન્દ્ર- જામનગર દ્વારા જોડીયા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જોડીયા બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર સ્થળોની આસપાસ સફાઈ કાર્ય પૂર્ણ કરાયું હતું. આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના દલસાણીયા પાયલબેન, ગામના તલાટી કમ મંત્રી શ્રી જયદીપભાઈ ચૌહાણ, વહીવટદાર શ્રી ગઢીયાભાઈ, સ્વચ્છ ભારત મિશન શાખાના શ્રી હેમાલીબેન અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application