કેદીઓએ નમાઝ અદા કરીને એકબીજાને ઇદ ની મુબારકબાદી પાઠવી, કેદીઓએ પણ જામનગર જીલ્લા જેલમાં ઉજવ્યો ઈદ-ઉલ-ફીત્ર નો તહેવાર....

  • April 11, 2024 04:54 PM 

કેદીઓએ નમાઝ અદા કરીને એકબીજાને ઇદ ની મુબારકબાદી પાઠવી, કેદીઓએ પણ જામનગર જીલ્લા જેલમાં ઉજવ્યો ઈદ-ઉલ-ફીત્ર નો તહેવાર....

જામનગર શહેર સહિત જીલ્લામાં ગુરૂવાર ના રોજ ઇદ-ઉલ-ફિત્ર ના પવિત્ર પર્વની ભાઇચારા ની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમો ભાઇઓ દ્વારા મહાન પવિત્ર પર્વ રમઝાન માસના ૩૦ રોઝા પૂર્ણ કર્યા બાદ, ગુરૂવાર ના રોજ ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી. જામનગર ની ઇદગા તથા અલગ-અલગ મસ્જિદોમાં ઈદ-ઉલ-ફીત્ર ની નમાઝ અદા ત્યારે જામનગર જીલ્લા જેલમાં મુસ્લિમ કેદી ભાઇઓ દ્વારા ઈદ-ઉલ-ફીત્ર ની નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ નમાઝ અદા કર્યા બાદ કેદી ભાઇઓ એકબીજાને ગલે મળીને ઈદ ની શુભેચ્છા પણ પાઠવી હતી.


આ પ્રસંગે જામનગર જીલ્લા જેલ ના અધિક્ષક મનુભા જાડેજા ના માર્ગદર્શન હેઠળ જેલ પ્રશાસને પહેલે થી જ નક્કર વ્યવસ્થા કરી હતી. જામનગર જિલ્લા જેલ પ્રશાસ ના આ કાર્ય થી કેદી ભાઈઓમાં હર્ષ ની લાગણી અનુભવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application