રસ્તાઓ પર ક્રેઈન, પથ્થરો, ટાયર કિલર અને ખીલાઓ સહિતની તૈયારી, આ આંદોલન માટેની દિલ્હી કૂચ રોકવાની તૈયારી

  • February 11, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ 13 ફેબ્રુઆરીએ 'દિલ્હી ચલો' કૂચનું એલાન કર્યું છે, જેના કારણે અંબાલા, જીંદ અને ફતેહાબાદ જિલ્લામાં પંજાબ-હરિયાણાની સરહદો સીલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે આકરા પગલા લીધા છે. દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે બેરિકેડ્સની સંખ્યા વધારી દેવામાં આવી છે.


અહીં ટાયર કિલર, ક્રેન્સ, હાઇડ્રોલિક મશીન, વોટર કેનન, કન્ટેનર અને મોટા પથ્થરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે સિમેન્ટ બેરિકેડ, લોખંડની ખીલીઓ, ઈન્ટરનેટ-એસએમએસ સેવાઓ સ્થગિત કરવા અને પોલીસ તૈનાત કરવાની તૈયારી કરી છે.


હરિયાણાના ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને પોલીસ દળની સાથે સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ તૈનાત કરવામાં આવી છે. ટિકરી અને સિંઘુ સહિત તમામ સરહદો પર સંપૂર્ણ નાકાબંધી કરીને પોલીસ તૈનાત કરવામાં આવી છે. મુકરબા ચોકથી સિંઘુ બોર્ડર સુધી તમામ કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application