છેલ્લા કેટલાય સમયથી વન રક્ષકની ભરતી અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે.અત્યારે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં ૨૫ ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે એવો નિર્ણય સરકાર દવારા કરવામાં આવ્યો છે. આની સાથે ૨૫ ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ પણ વધુ ૨૫ ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.
અહીં નોંધવું જરી છે કે સરકાર દ્રારા આ ભરતી પ્રક્રિયામાં પહેલા માત્ર ૮ ટકા લોકોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ૮ ટકાના બદલે ૨૫ ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવી સરકાર દ્રારા સૂચના આપવામાં આવી છે. આ સાથે બીજી મહત્વની વાત એ છે કે, બધા જ ઉમેદવારોના ગુણ જાહેર કરવા માટે સરકાર હકારાત્મક હોય તેવું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે, ઉમેદવારોની માંગ પર મુખ્યમંત્રી સુધી ચર્ચા થઈ હોવાનું અનુમાન છે.
ગુજરાતમાં બીટ ગાડની ભરતીને લઈને કેટલાય સમયથી મોટા વિવાદ ચાલી રહ્યો હતો, અથવા એમ કહો કે, આખી ભરતી પ્રક્રિયા જ વિવાદમાં ચાલી રહીં હતી. આ ભરતી પ્રક્રિયાના મામલે યુવરાજસિંહે જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. વિધાર્થી નેતા યુવરાજસિંહે ભરતી પ્રક્રિયાઓમાં થતી છેતરપિંડીમાં પોતાનો વિરોધ નોંધાવીને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે.આ ભરતી માટે પણ તેઓ ઉમેદવારોના પક્ષમાં આવીને પ્રદર્શનમાં જોડાયા હતા અને સ્પષ્ટ્ર ભરતી માટે માંગણી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech