સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં થઇ 190થી વધુ અરજીઓ, એઆઈએમઆઈએમ ચીફે એનસીઆરનો મુદ્દો પણ સુપ્રીમ સમક્ષ ઉઠાવ્યો
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કર્યો ત્યાર બાદથી કેટલક સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ તેનો સખત વિરોધ કરી રહી છે, હાલ સુધીમાં આ કાયદા વિરુદ્ધ ઘણી અરજીઓ કોર્ટમાં અપાઈ છે, ત્યારે હવે આ ક્રમમાં એઆઈએમઆઈએમ ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
આ સાથે ઓવૈસીએ એનસીઆરનો મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો છે. તેણે કોર્ટમાં અરજી કરી છે અને અપીલ કરી છે કે સીએએનો અમલ તાત્કાલિક બંધ કરવામાં આવે. એઆઈએમઆઈએમ ચીફે કોર્ટને કહ્યું કે સીએએ પછી એનસીઆર દેશમાં આવી રહ્યું છે અને આ બંને અપવિત્ર ગઠબંધન છે. કેન્દ્ર સરકાર એનસીઆર દ્વારા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવવાની યોજના છે. ઓવૈસીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે સીએએને કારણે ઉભી થયેલી સમસ્યાઓ માત્ર લઘુમતી સમુદાયને નાગરિકતા લેવાથી અટકાવવા માટે નથી પરંતુ લઘુમતી સમુદાયને અલગ કરવા અને નાગરિકતા નકારવાના પરિણામે તેમની સામે પસંદગીની કાર્યવાહી કરવાની પણ છે.
ઓવૈસીએ પોતાની અરજીમાં કહ્યું કે સીએએબંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. આ કલમ 14 , 25 અને 21નું ઉલ્લંઘન કરે છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી આ કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી આ કાયદાના અમલ પર રોક લગાવવી જોઈએ. આ પહેલા સીએએ નોટિફિકેશન જાહેર કરવા પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ધર્મના આધારે કોઈ કાયદો બનાવી શકાય નહીં.
નાગરિકતા સંશોધન બિલના નિયમો પર રોક લગાવવાની માંગ કરતી તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 19 માર્ચે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ તેની સુનાવણી કરશે. સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કુલ 192 અરજીઓ છે. જેમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, આસામની સંસ્થા એજેવાયસીપી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓનો સમાવેશ થાય છે. આ અરજીઓમાં સીએએની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech