અધિકારી-કર્મચારીને ફરજિયાત તાલીમ માટે નાણા ફાળવવા હુકમ

  • December 12, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજિયાત તાલીમ આપવા માટે જે તે વિભાગોએ તેમના વાર્ષિક પગાર ખર્ચના 1.5 ટકા ફાળવવા પડશે તેવો આદેશ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કર્યો છે. જો કે શિક્ષણ, ગૃહ, આરોગ્ય અને કાયદા વિભાગ માટે અલગથી તાલીમ નીતિ બનાવવાની હોઇ આ વિભાગોએ ખર્ચની રકમ ફાળવવી નહીં તેવું પણ ઠરાવ્યું છે.
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) એ રાજ્યની સર્વોચ્ચ તાલીમ સંસ્થા છે, જેમાં સચિવાલયના વહીવટી વિભાગો અને ખાતાના વડાઓ તેમની કચેરીના ખર્ચના કુલ બજેટના 0.2 ટકા જેટલી રકમ તેમના વહીવટી નિયંત્રણ હેઠળના અધિકારી તેમજ કર્મચારીઓને સરકારી કે અન્ય તાલીમ સંસ્થાઓમાં આપવામાં આવતી તાલીમના ખર્ચને પહોંચી વળવા અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવેલી છે. જો કે વિવિધ ભલામણોને સ્વિકારીને તાલીમના ખર્ચ માટે વિભાગો કે સરકારી સંસ્થાઓને હવેથી કચેરીના પગારના વાર્ષિક ખર્ચના 1.5 ટકા રકમ ફાળવવાની રહેશે. સામાન્ય વહીવટી વિભાગે સરકારી કચેરીઓ, વિભાગો તેમજ સરકારી સંસ્થાઓમાં તાલીમ માટેના બજેટની જોગવાઇમાં વધારો કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application