મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું શનિ શિંગણાપુર ગામ ખૂબ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે અહીં કોઈના ઘરના દરવાજા નથી. કારણ કે અહીં ચોર ચોરી કરી શકતો નથી. આવું જ એક ગામ સૌરાષ્ટ્રમાં છે જે રાજકોટથી 23 કિમી દૂર આવેલું છે. જ્યાં ભૈરવદાદાનું મંદિર છે. આ ગામના ઘરોમાં એક પણ દરવાજો નથી. તેથી ઘરને તાળું મારવાની જરૂર નથી. સ્થાનિકો મુજબ ગામમાં રહેતા ભૈરવ દાદા ગામની રક્ષા કરે છે. તેથી આ ગામ સૌરાષ્ટ્રના શનિ શિંગણાપુર તરીકે ઓળખાય છે.
ગામના રહેવાસીએ જણાવ્યું કે આ ગામમાં ભૈરવ દાદાનું રહેઠાણ છે. તેથી જ અમારા ગામમાં કોઈ ચોરી કરી શકતું નથી. ગામમાં કોઈ ચોર નથી આવતા, અને જો આવે તો પણ આંધળો બની જાય છે. તેથી અમારું ગામ મીની શનિ શિંગણાપુર તરીકે ઓળખાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ચાર વર્ષ પહેલા ચાર ચોર ગામમાં ચોરી કરવા આવ્યા હતા. જે પત્થર બની ગયા હતા. તેણે વધુમાં કહ્યું કે અમારા ગામમાં કોઈ ચોર ચોરી કરવા આવે તો પણ તે પકડાઈ જાય છે. આજુબાજુના ગામોમાં ચોરી થાય છે, પણ અમારા ગામમાં નથી, અમારા ગામમાં એક પણ ઘરને દરવાજા નથી. દરેકના ઘર ખુલ્લા છે. જે લોકો પોતાના ઘરોમાં દરવાજા લગાવે છે, તેમના ઘરમાં ચોરી થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech