જામનગર જિલ્લામાંં ચુંટણી ફરજ માટે નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીની સત્તાઓ સોંપવામાંં આવી
જામનગર તા.13 એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના અનુસંધાને 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારીશ્રી તરફથી, ચૂંટણી અધિકારીશ્રી કે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી છે. તે પૈકી જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકાર મળેલા નથી તેવા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના વંચાણ-2 માં દર્શાવેલા જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતિ અધિનિયમ-1973 ની કલમ-21 હેઠળ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અને આ અધિનિયમની કલમ-44, 103, 104, 129 અને 144 ના અધિકારો મળવાપાત્ર થાય છે.
આ ઉપરાંત હાલમાં ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો/ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ ઉપર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાય રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના વંચાણ-3 ના હુકમથી કરવામાં આવી છે. જેમાં વંચાણ-4, 5 અને 6 ના હુકમથી મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. જેઓને વંચાણ લીધા-7 ના હુકમથી કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
તેમજ વંચાણે લીધા-8 ના હુકમથી આ ટીમના સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટીમોને તેમની કામગીરી એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં કરવાની રહે છે. પરંતુ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ધરાવતા નાયબ મામલતદારના સંવર્ગના કર્મચારીઓની અન્ય ફરજો અને મર્યાદિત સંખ્યાને ધ્યાનમાં રાખતા આ ટીમો માટે અન્ય ખાતાના કર્મચારીઓ કે જેઓ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ધરાવતા નથી તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.
જેથી વંચાણે લીધા-8 ના હુકમથી નવનિયુક્ત પામેલા પરિશિષ્ટ- A માં જણાવ્યા અનુસાર ફ્લાઈંગ સ્ક્વોડના કર્મચારીઓ અને અધિકારીઓને તથા પરિશિષ્ટ- B માં જણાવ્યા અનુસાર સ્ટેટિક સર્વેલન્સ ટીમના કર્મચારીઓ અને અધિકારીઓને તેઓ જે વિધાનસભા મતદાર વિભાગમાં નિયુકત થયેલા હોય તે વિસ્તારના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ની આચારસંહિતા અમલમાં આવ્યાની તારીખ 16-03-2024 ના સાંજના કલાક 17:00 થી આગામી તારીખ 07-05-2024 ના રોજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી તરીકેના સરકારશ્રીએ વંચાણ-2 માં ઉલ્લેખ કરેલા જાહેરનામાથી આપેલા અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવે છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે નિર્ધારિત કરવામાં આવેલ પરિશિષ્ટ- A અને ફ્લાઈંગ સ્ક્વોડમાં નિયુક્ત થયેલા સભ્યોની યાદી આ મુજબ છે. જેમાં 76-કાલાવડ વિસ્તાર માટે શ્રી વી.જે.રોજીયા, શ્રી એમ.પી.ઝવેરી અને એસ.જે.કેરાળીયા રહેશે. 77-જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે રાઠોડ સોહમ એન., સોલંકી ભાવેશ આર. અને ગાંગાણી પાર્થ કે. રહેશે. 78- જામનગર ઉત્તર વિસ્તાર માટે ડો.એસ.કે.પરમાર, શ્રી સુનિલ મહેશચંદ્ર શાહ અને શ્રી અજયકુમાર કે.સિંઘ રહેશે. 79- જામનગર દક્ષિણ વિસ્તાર માટે જે.પી.આયરા, વી.પી.ગજેરા અને જે.એચ.ચાવડા રહેશે. 80- જામજોધપુર વિસ્તાર માટે એન.પી.વિસાણી, હમીર શાખરા અને ચૌહાણ સુરેશ કે. ફરજમાં રહેશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે નિર્ધારિત કરવામાં આવેલ પરિશિષ્ટ- B અને સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત થયેલા સભ્યોની યાદી આ મુજબ છે. જેમાં 76-કાલાવડ વિસ્તાર માટે એચ.પી.તૈરૈયા, એસ.બી.બાવીશી અને શ્રી એલ.વી.મકવાણા રહેશે. 77- જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે સંજય જે.જાની, ડો.દીપેશકુમાર ડી.આસોંદરિયા અને ડો.સંજય એમ.ચોવટીયા રહેશે. 78- જામનગર ઉત્તર વિસ્તાર માટે ગેલોત દિલીપ, જોશી સૈરભ અને રાયઠ્ઠા સમીર રમેશ રહેશે. 79- જામનગર દક્ષિણ વિસ્તાર માટે એસ.પી.પરમાર, એ.એ.ચાવડા અને વી.આર.કણસાગરા રહેશે. 80- જામજોધપુર વિસ્તાર માટે એ.આર.ગુપ્તા, એ.ટી.પરમાર અને વાળા ઋતુરાજસિંહ એમ. ફરજમાં રહેશે.
પરિશિષ્ટ- A અને પરિશિષ્ટ- B માં જણાવ્યા અનુસારના કર્મચારીઓ અને અધિકારીઓએ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. આ અધિકારોનો ગેરઉપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડ્યા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech