આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ હુમલા કેસ પર પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને બીજેપીનું ષડયંત્ર ગણાવ્યું છે. આ ઘટના ખૂબ જ ચોકવનારો વળાંક લાવી છે, કેમ કે સ્વાતિ આપના રાજ્યસભા સાંસદ છે, પાર્ટીના વરિષ્ઠ નેતા પર આ પ્રકારનો આરોપ પાર્ટીમાં વાદ વિખવાદ લાવી શકે છે. આતિશીએ કહ્યું કે સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદો બની હતી. સ્વાતિ માલીવાલ 13 મેના રોજ એપોઈન્ટમેન્ટ વગર સીએમ આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો સીએમ કેજરીવાલને ફસાવવાનો હતો. તે હતા નહિ, તેથી તે બચી ગયા. ત્યારબાદ સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. આજે જે વિડિયો સામે આવ્યો છે તે તેમનો પર્દાફાશ કરે છે.
AAP નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સ્વાતિ માલીવાલ અને ભાજપ પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, 'જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી ભાજપ ગભરાટમાં છે. આ મૂંઝવણ હેઠળ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ષડયંત્ર હેઠળ સ્વાતિ માલીવાલને સીએમ આવાસ મોકલવામાં આવ્યા હતા.
13 મેની સમગ્ર ઘટના મીડિયાને સંભળાવતા આતિશીએ કહ્યું કે, 'સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં તેણે કહ્યું છે કે તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. તેનું માથું ટેબલ સાથે અથડાયું અને તેના કપડા ફાટી ગયા, પરંતુ વિડિયો તેનાથી વિપરીત બતાવે છે. સ્વાતિ માલીવાલ ઊંચા અવાજમાં વિભવ કુમારને ધમકી આપી રહી છે. તેના કપડા ફાટેલા નથી કે તેના માથામાં ઈજા થઈ નથી. આજના વીડિયોએ સ્વાતિ માલીવાલના આરોપોને પાયાવિહોણા સાબિત કર્યા છે. વિભવ કુમારે પોતાની ફરિયાદમાં 13 મેની તમામ ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે.
આતિષીના કહેવા પ્રમાણે, 'સ્વાતિ માલીવાલે ગેટ પર પોલીસને ધમકી આપી કે હું રાજ્યસભાની સાંસદ છું, જો તમે મને રોકશો તો હું તમારી નોકરી લઈ લઈશ. પોલીસ સાથે બોલાચાલી કર્યા બાદ તે સીએમ આવાસમાં પ્રવેશી હતી. સુરક્ષાકર્મીઓએ તેને ફરીથી ના પાડી અને તેને વેઇટિંગ રૂમમાં બેસાડી દીધી. થોડીવાર વેઈટિંગ રૂમમાં બેઠા પછી સ્વાતિ માલીવાલ સીએમના ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યા અને સીએમને ફોન કરીને હવે મળવાનું કહેવા લાગ્યા. સીએમ આવાસના સ્ટાફે વિભવ કુમારને ફોન કર્યો, તેઓ 10 મિનિટ પછી આવ્યા અને સ્વાતિ માલીવાલને કહ્યું કે આજે સીએમ તેમને મળી શકશે નહીં. ત્યારબાદ સ્વાતિ માલીવાલે વિભવ કુમાર સાથે ઊંચા અવાજમાં વાત કરી અને ઘરની અંદર જવાનો પ્રયાસ કરવા લાગી. જ્યારે વિભવ કુમારે તેને અંદર જતા અટકાવ્યો તો તેણે તેને ધક્કો માર્યો અને અંદર જવા લાગી.
આતિશીએ કહ્યું કે સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલને મળવાનો આગ્રહ શરૂ કર્યો, તેના પીએ વિભવ કુમારે કહ્યું કે મુખ્યમંત્રી વ્યસ્ત છે. આ પછી સાંસદે ચીસો પાડવાનું શરૂ કર્યું અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકનો મામલો ભાજપનું ષડયંત્ર છે. અહીં, સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર અને મારપીટના કેસની તપાસ માટે દિલ્હી પોલીસ ફોરેન્સિક ટીમ સાથે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી હતી, પોલીસ 13 મેની ઘટનાને ફરીથી રિક્રીએટ કરી છે, જેના પરથી તે દિવસે કેજરીવાલના ઘરે શું થયું તે જાણવાનો પ્રયાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech