રાષ્ટ્રીય પ્રેસ દિવસ : આજથી 56 વર્ષ પહેલાં પ્રેસના ઉચ્ચ ધોરણો જાળવવા બન્યું હતું ખાસ તંત્ર, જાણો શું છે ઇતિહાસ

  • November 16, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં આજના દિવસે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રેસ ડે જવાબદાર મીડિયાની હાજરી તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રેસના ઉચ્ચ ધોરણો જાળવવા અને તેને કોઈપણ પ્રભાવ અથવા ધમકીથી મુક્ત રાખવા માટે નૈતિક ચોકીદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.



કોઈપણ દેશની લોકશાહીને જીવંત રાખવા માટે ચાર સ્તંભ હોવા ખૂબ જરૂરી છે. આ ચાર સ્તંભ છે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને પત્રકારત્વ. સાથે જ પત્રકારત્વને લોકોનો અવાજ પણ કહેવામાં આવે છે. તેના દ્વારા જ સામાન્ય લોકોના સમાચાર સત્તામાં રહેલા લોકો સુધી પહોંચે છે અને તેઓ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે.



વર્ષ 1956 માં, પ્રથમ પ્રેસ કમિશને એક સંસ્થા બનાવવાનું નક્કી કર્યું જેનું કામ પત્રકારત્વના નૈતિક મૂલ્યોને જાળવવાનું હશે. જે બાદ ભારતમાં 4 જુલાઇ 1956ના રોજ પ્રેસ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. કાઉન્સિલ 16 નવેમ્બર 1966 થી સંપૂર્ણ રીતે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારથી અત્યાર સુધી ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application