નર્મદા નદીની સૌની યોજના અંતર્ગત જે વિસ્તારમાં ઓછો વરસાદ થયો હોય તે વિસ્તારના ચેક ડેમો અને ડેમો ભરવા માટે અવાર નવાર સરકાર પાણી છોડવા સુચના આપવામાં આવે છે. તાજેતરમાં ઝાલણસર પમ્પીંગ સ્ટેશનેથી સૌની યોજના લીંક ૩ હેઠળ જામવાડી, પ્રભુજી પીઠડીયા, સણોસરા, ઝાલણસર ગામોની નદીમાં પાણી આવશે ત્યારબાદ કાલાવડની ધોરાવડી અને કપુરીયા વોકળામાં પણ આ પાણી આવશે. આ સમયે નીરીક્ષણ કરતા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ભાજપના અગ્રણી અભિષેક પટવા નજરે પડે છે.