મુસ્લિમ અભિનેતાનું મોટું નિવેદન, "જો પરિવારને બચાવવો હોય તો ભારતના તમામ મુસ્લિમો તમે હિન્દુ બની જાવ !'

  • August 03, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડ માટે પોતાની જાતને ક્રિટીક ગણાવતા કમાલ રાશિદ ખાન પોતાના ફિલ્મ વિવાદિત નિવેદનો, ફિલ્મ કે એક્ટર પર રિવ્યુના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જો કે, પોતાના નિવેદનો માટે તેને ટ્રોલ થવું પડે છે, અને ઘણી વાર તો તે પોતે કાયદાકીય મુશ્કેલીનો સામનો કરે છે, આમ થવા છતાં KRKમાં કોઈ સુધારો થયો નથી. હાલમાં, કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકે, પોતે મુસ્લિમ હોવાને કારણે, તેણે તેના નવીનતમ ટ્વીટ દ્વારા મુસ્લિમોને ધર્મ પરિવર્તન કરવાની સલાહ આપી છે. તેઓ માને છે કે મુસ્લિમો સુરક્ષિત નથી.


KRKએ પોતાના ટ્વિટમાં લખ્યું, “હું ભારતના તમામ મુસ્લિમોને હિંદુ ધર્મ અપનાવવાની સલાહ આપું છું કારણ કે તમારા પરિવાર અને બાળકોનું જીવન કોઈપણ ધર્મ કરતા વધુ મહત્વનું છે. આપણે ભારતીય મુસ્લિમોએ આરબ માટે ધર્મપરિવર્તન કર્યું અને હવે આરબ દેશો ઇસ્લામનું રક્ષણ કરવા સક્ષમ નથી. એટલા માટે તમારા પરિવારને બચાવવા માટે ફરીથી ધર્મ પરિવર્તન કરવું એ ખોટી વાત નથી.

બીજી તરફ ઉમર સંધુ કે જેણે પોતેજ પોતાના ક્રિટીક હોવાની જાહેરાત કરી છે, તેણે પણ ઈસ્લામ ધર્મ પરિવર્તનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઓમરે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, "ભારતીય મુસ્લિમોએ બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન જવું જોઈએ. ભારત હવે તેમના માટે સુરક્ષિત નથી. આ તેમના માટે "નરક" છે. હિન્દુઓએ માનવતા શીખવી જોઈએ."

હાલમાં કમાલ આર ખાન અને ઉમર સંધુની આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહી છે. ઘણા યુઝર્સે તેમની ટીકા કરી છે. ઘણાએ કહ્યું છે કે કેઆરકેને થોડી શરમ આવવી જોઈએ. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કમાલ આર ખાન અને ઉમર સંધુએ વિવાદાસ્પદ ટ્વિટ કરી હોય. આ પહેલા પણ તે ઘણી વખત સોશિયલ મીડિયા પર આવા નિવેદન આપી ચુક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application