સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય DWBDNCના સદસ્યશ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને NT-DNT વર્કશોપ યોજાયો
કલેકટર કચેરીના સભાખંડમાં શ્રી ભરતભાઈએ જામનગર જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિઓના લોકોને શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, સામાજિક ઉત્કર્ષ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી
વિચરતા અને વિમુક્ત સમુદાયોને સમાજના પ્રવાહમાં ભેળવવા સરકાર સતત પ્રયત્નશીલ : DWBDNCના સદસ્યશ્રી ભરતભાઈ
જામનગર તા.૨૯ જાન્યુઆરી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણબોર્ડના સદસ્યશ્રી ભરતભાઈ પટણીએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિઓના લોકો સાથે વર્કશોપ યોજ્યો હતો. જેમાં તેઓએ વિચરતા અને વિમુક્ત સમુદાયોને શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, સામાજિક ઉત્કર્ષ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
આ વર્કશોપમાં શ્રીભરતભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૧માં ૧૩૬૨ જેટલી જાતિઓ માટે NT-DNT વેલ્ફેર બોર્ડની સ્થાપના કરી હતી. ગુજરાતમાં ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિઓ છે. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ જાતિઓ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. વિચરતી જાતિઓના યુવાઓ આગળ વધે અને કન્યાઓને શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે જવા માટે સરકાર દ્વારા રૂ.૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. તેઓએ ઉપસ્થિત અગ્રણીઓને જણાવ્યું હતું કે તેમના સમાજની મહિલાઓ પગભર બને તે માટે કુટીર ઉદ્યોગો થકી મહિલાઓને રોજગારી મળે તે પ્રકારે કામગીરી કરવી જોઈએ. આ સમાજના ભાઈઓ વચ્ચેના, કુટુંબ, ગામ વચ્ચેના ઝગડાઓ દૂર કરી સમાજને જ્ઞાનશાળી બનાવવા માટે DWBDNCના સદસ્યશ્રીએ અપીલ કરી હતી. જામનગર જિલ્લાના વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના તમામ લોકોને આગામી ત્રણ મહિનામાં આધારકાર્ડ, રાશનકાર્ડ અને ચૂંટણીકાર્ડ કાઢી આપવા માટે જ્ઞાતિઓના પ્રમુખ અને અગ્રણીઓને તેઓએ સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech