હિન્દુ મહિલા અને મુસ્લિમ યુવકે કોર્ટમાં કરી હતી અરજી : યુવકની પહેલી પત્ની અને બાળકને ધ્યાનમાં રાખી કોર્ટે આપ્યો નિર્ણય
ઈસ્લામ ધર્મનું પાલન કરનાર વ્યક્તિ લિવ-ઈન રિલેશનશિપના અધિકારનો દાવો કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ આ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ અતાઉ રહેમાન મસૂદી અને જસ્ટિસ અજય કુમાર શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે કહ્યું કે જ્યારે નાગરિકોની વૈવાહિક સ્થિતિનું પર્સનલ લૉ અને બંધારણીય અધિકારો હેઠળ અર્થઘટન કરવામાં આવે ત્યારે ધાર્મિક રિવાજોને પણ મહત્વ આપવું જોઈએ.
હાઈકોર્ટે કહ્યું કે કલમ 21 હેઠળ બંધારણીય સુરક્ષા લિવ-ઈન સંબંધોના અધિકારને માન્યતા આપશે નહીં. એક વ્યક્તિ સામેના અપહરણના કેસને રદ્દ કરવા અને હિન્દુ-મુસ્લિમ દંપતીના સંબંધોમાં દખલ ન કરવા માટેના નિર્દેશની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
કોર્ટે કહ્યું કે દંપતીએ અગાઉ પણ પોતાની સુરક્ષા માટે અરજી કરી હતી. રેકોર્ડમાંથી, અદાલતને જાણવા મળ્યું કે મુસ્લિમ વ્યક્તિ પહેલેથી જ એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી ચૂક્યો છે અને તેને પાંચ વર્ષની પુત્રી છે. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ વ્યક્તિની પત્નીને તેના લિવ-ઈન રિલેશનશિપ સામે કોઈ વાંધો નથી કારણ કે તે કેટલીક બીમારીઓથી પીડિત હતી. તાજેતરની અરજીમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિએ તેની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હતા.
29 એપ્રિલે કોર્ટે પોલીસને મુસ્લિમ વ્યક્તિની પત્નીને હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો અને તેને અને તેના લિવ-ઈન પાર્ટનરને પણ હાજર રહેવા કહ્યું હતું. એક દિવસ પછી કોર્ટને કેટલાક તથ્યો વિશે જાણ કરવામાં આવી. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે પુરુષની પત્ની તેના દાવા મુજબ ઉત્તર પ્રદેશમાં નહીં પણ મુંબઈમાં તેના સાસરિયાં સાથે રહે છે. કોર્ટે કહ્યું કે અપહરણના કેસને રદ કરવાની માંગ કરતી અરજી વાસ્તવમાં હિંદુ મહિલા અને મુસ્લિમ પુરુષ વચ્ચે લિવ-ઈન સંબંધને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરે છે.
કોર્ટે કહ્યું કે જો બે વ્યક્તિઓ અપરિણીત અને પુખ્ત વયના હોય અને પોતાની રીતે પોતાનું જીવન જીવવાનું પસંદ કરે તો પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. તે સ્થિતિમાં બંધારણીય નૈતિકતા આવા કપલના બચાવમાં આવી શકે છે અને સદીઓથી રિવાજો અને પ્રથાઓ દ્વારા સ્થાયી થયેલી સામાજિક નૈતિકતા બંધારણીય નૈતિકતા માટે માર્ગ મોકળો કરી શકે છે. કોર્ટે કહ્યું કે પત્નીના અધિકારો તેમજ સગીર બાળકના હિતને ધ્યાનમાં રાખીને લિવ-ઈન રિલેશનશિપને આગળ ચાલુ રાખી શકાય નહીં. કોર્ટે પોલીસને આ વ્યક્તિના લિવ-ઈન પાર્ટનરને તેના માતા-પિતાના ઘરે લઈ જવા અને આ સંબંધમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech