લાલપુર તાલુકાના ભોલેશ્વર ખાતે 34 મા મહા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

  • March 26, 2024 02:50 PM 

ધુળેટી પર્વ નાં દિવસે લાલપુર તાલુકાના ભોલેશ્વર ખાતે જામનગર જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના પુર્વ ચેરમેન ભાઈ શ્રી કે.બી.ગાગિયા (અરજણભાઇ બોઘાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ) દ્વારા 34 મા મહા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું જેમાં 219 રક્તદાતા ઓ એ રકતદાન કર્યું તેમજ ભાજપ આગેવાન કરશનભાઈ સોચા દ્વારા 4000 લોકો માટે મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, લોકસભાના સંયોજક ડો.વિનુભાઈ ભંડેરી, જીલ્લા ભાજપ સોશીયલ મીડીયાના કંવિનર ભવદીપ પંડયા,જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ, પ્રવીણસિંહ ઝાલા, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઈ કરમુર, પુર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજા, જીલ્લા પંચાયત સભ્યશ્રી ઓ સુરુભા જાડેજા, વિનુભાઈ વડોદરિયા, તા.પં લાલપુર ના પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ, લાલપુર ના સરપંચ જયેશભાઈ તેરૈયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સામજીક આયોજન બદલ કે. બી. ગાગિયા તથા કરસનભાઈ ને અભીનંદન પાઠવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application