મદુરાઈઃ લખનઉ-રામેશ્વરમ ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં લાગી ભીષણ આગ, 10 લોકોના મોત, ઘટનાનો ભયાનક વિડીયો થયો વાઈરલ

  • August 26, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે સવારે એક મોટી દુર્ઘટના બની છે અને પેસેન્જર ટ્રેનના કોચમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ સિવાય અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રેલવે સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના લખનૌ–રામેશ્વરમ એકસપ્રેસમાં બની હતી. સૂત્રોએ જણાવ્યું કે તમામ 10 પીડિતો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. કોચમાં કુલ ૫૫ મુસાફરો હતા. ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમુક પેસેન્જર એ કોચમાં જ ચા બનાવવાનું શ કરતા એલપીજી બ્લાસ્ટ થયો હતો અને આગ ભડકી હતી. બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે.


મદુરાઈ સ્ટેશન પર ઉભેલી પેસેન્જર ટ્રેનના કોચમાં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. શનિવારે સવારે લગભગ ૫ વાગ્યે એલપીજી સિલિન્ડર વિસ્ફોટ પછી આ ઘટના બની હતી. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે 10 લોકો મૃત્યુ પામ્યા છે, જે તમામ યુપીના હતા, સુત્રો એ જણાવ્યું હતું કે મૃત્યુઆકં હજુ વધી શકે છે.


દારાલ મદુરાઈ સ્ટેશન પર ટુરિસ્ટ ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. લખનૌ–રામેશ્વરમ ટૂરિસ્ટ ટ્રેનના કેટલાક મુસાફરો કોચની અંદર ચા બનાવવા લાગ્યા. ત્યારબાદ એલપીજી સિલિન્ડર ફાટવાના કારણે આ દુર્ઘટના બની હતી. ફાયર ફાઈટરોએ ધસી જઈને આગ પર કાબુમાં મેળવ્યો છે. રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી બી. ગુગનેસને જણાવ્યું હતું કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યા હતા. જેના કારણે આગ ફાટી નીકળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application