ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન સંપર્ક કાર્યાલયમાં લોક દરબાર યોજાયો

  • April 14, 2023 05:27 PM 

સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવાતા સંતોષ વ્યક્ત કરાયો.


 જામનગર તા ૧૪, જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ ગઈકાલે પોતાના જનસંપર્ક કાર્યાલયમાં લોક દરબાર યોજ્યો હતો, અને સમગ્ર દિવસ દરમિયાન કાર્યાલય પર હાજર રહી પોતાના કાર્યકરો તેમજ સ્થાનિક રહેવાસીઓના પ્રશ્નો સાંભળ્યા હતા, અને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવાના પ્રયાસો કર્યા હતા.


 ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કે જેઓ સતત પોતાના કાર્યકરો- સમર્થકોના સંપર્કમાં જ રહે છે, અને સ્થાનિક વિસ્તારના નાગરિકોના પ્રશ્નોને સાંભળવા માટે ગઈકાલે ગુરુવાર તારીખ ૧૩.૪.૨૦૨૩ ના દિવસે સમગ્ર દિવસ દરમિયાન જન સંપર્ક કાર્યાલય પર હાજર રહીને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.


 ધારાસભ્ય દિવ્યેશભાઈ સવારે ૧૦.૦૦ વાગ્યાથી પોતાના કાર્યલય પર હાજર રહ્યા હતા, અને સ્થાનિક વિસ્તારના નાગરિકો તેમજ કાર્યકરોને સાંભળ્યા હતા. સવારે ૧૦.૦૦ વાગ્યાથી મોડી સાંજ સુધી લોક દરબાર ચાલ્યો હતો, જેમાં સ્થાનિક લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, અને ધારાસભ્ય દ્વારા તમામ પ્રશ્નોનોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવાયું હતું, જેને લઈને રજૂઆત કરનારાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application