Live : PM મોદી પહોંચ્યા રાજકોટના આંગણે, રાજકોટ સહીત 5 એઇમ્સનું કર્યું લોકાર્પણ

  • February 25, 2024 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


PM મોદી તેમની તેમની બે દિવસીય ગુજરાત યાત્રામાં સવારે દ્વારકામાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યા બાદ હવે રાજકોટ પહોચ્યા છે. રાજકોટ પહોચી તેમણે સૌથી પહેલા એઈમ્સની મુલાકાત લીધી છે, અહીંથી તેમણે રાજકોટ સહીત દેશની 5 એઈમ્સનું લોકાર્પણ કર્યું છે. 

ગતરોજ ટ્વિટર પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું, "રાજકોટ હંમેશા મારા હૃદયમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ કર્યો અને મને પ્રથમ ચૂંટણી જીત અપાવી. ત્યારથી મેં હંમેશા જનતાની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે હું આજે અને કાલે ગુજરાતમાં હોઈશ અને રાજકોટમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી 5 એઈમ્સ દેશને સમર્પિત કરવામાં આવશે.

સમારોહ દરમિયાન મોદી ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, તેઓએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પંજાબના ભટિંડા, ઉત્તર પ્રદેશના રાયબરેલી, પશ્ચિમ બંગાળની કલ્યાણી અને આંધ્રપ્રદેશની મંગલગિરીમાં અન્ય ચાર AIIMSને પણ સમર્પિત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application