નવરાત્રિ નિમિત્તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા લ્હાણી વિતરણ
5,590 બાળાઓ લાભાન્વિત
તાજેતરમાં સંપન્ન થયેલ નવરાત્રિ પર્વ નિમિત્તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર અને જુનાગઢ જિલ્લાની 5,500 બાળાઓને ‘કુમારિકા પૂજન’ ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ કરી શક્તિ આરાધનાના મહાપર્વમાં સાંસ્કૃતિક યોગદાન આપવામાં આવ્યું હતું. ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 15 ગામોની 38 ગરબીમાં 2204 કન્યાઓને અને જામનગર તાલુકાના 9 ગામોની 44 ગરબીઓમાં 2926 કન્યાઓને રિલાયન્સના પ્રતિનિધીઓ દ્વારા રુબરુ જઈને આ લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ભેસાણ તાલુકાના છ ગામોના કુલ સાત ગરબી મંડળની 460 બાળાઓને પણ આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવી હતી. આમ, કુલ ત્રણ તાલુકાઓના 30 ગામનાં 89 ગરબી મંડળોની 5590 બાળાઓ શક્તિ પર્વે લ્હાણી થકી લાભાન્વિત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech