ટીમ ઈન્ડિયાના ખેલાડી ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. આ ખેલાડીને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં સ્થાન મળ્યું ન હતું અને અફઘાનિસ્તાન સામે તાજેતરમાં રમાયેલી ટી20 ટીમમાં પણ તેનું નામ સામેલ નથી. થોડા દિવસો પહેલા ઈશાન કિશને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને તે દુબઈમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો.
વાસ્તવમાં, એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઈશાન કિશન માનસિક થાક અને સતત મુસાફરીને કારણે બ્રેક લેવા ઇચ્છતો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈશાને પસંદગીકારોને વિનંતી કરી હતી કે તે માનસિક રીતે થાક અનુભવી રહ્યો છે અને તે થોડા સમય માટે ક્રિકેટમાંથી બ્રેક લઈને તેના પરિવાર સાથે સમય પસાર કરવાની ઇચ્છા ધરાવે છે. આથી, પસંદગીકારોએ ઈશાનની વિનંતી સ્વીકારી લેતા તેને બ્રેક આપવામાં આવ્યો.
પરંતુ એક સૂત્રએ જણાવ્યું હતું કે બ્રેક મળ્યા બાદ તે દુબઈમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. આ સાથે એવા પણ અહેવાલ હતા કે ઈશાન કિશન અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે તૈયાર હતો. પરંતુ પસંદગીકારોએ આ વખતે તેની અવગણના કરી. મહત્વનું તો એ છે કે, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આ શ્રેણીનો ભાગ નથી. આમ છતાં ટીમમાં ઈશાનની ગેરહાજરી થોડી ખટકે તે મુજબની આશ્ચર્યજનક છે.
એટલે હાલ તો એમ માનવામાં આવે છે કે કદાચ બીસીસીઆઈ ઈશાન કિશનના વલણથી નારાજ છે. તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં ભારતે 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવાનો છે. આ માટેની ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી. ત્યારે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ઇશાન કિશનને તક મળે છે કે પછી ફરી એક વખત તેને અવગણવામાં આવે છે તે બાબત મહત્વની બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech