ખોરાકને પૂર્ણ બનાવવામાં નમકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. નમક વિનાનો ખોરાક સ્વાદવિહીન લાગે છે. પરંતુ ખોરાક માટે જ નહીં ત્વચા માટે પણ નમક લાભકારક હોય છે. આ માટે તેને પાણીમાં મિક્સ કરી અને નાહવાથી શરીરને આરામ મળે છે. તેમજ ત્વચા સંબંધિત સમસ્યાઓમાં મોટી રાહત મળે છે. તો આવો જાણીએ કે નમકના પાણીથી શું ફાયદા થાય છે.
પાણીમાં 1 ટેબલ સ્પૂન નમક મિક્સ કરી અને નાહવાથી ત્વચાની ઊંડાણપૂર્વક સફાઈ થાય છે. નમક ડેડ સ્કિન સેલ્સ સાફ કરી નવી સ્કીમ લાવવામાં મદદરૂપ થાય છે. આ રીતે ત્વચામાં ચમક આવે છે.
મોટા ભાગે જે લોકો વધારે કામ કરતા હોય તે લોકોને માંસપેશીઓ જવાની અને ખેંચાણ ની ફરિયાદ કરતા હોય છે. એવામાં પાણીમાં નમક નાખી અને નાહવાથી શરીરને આરામ મળે છે, તેમજ સાંધા અને શરીરના અન્ય ભાગોમાં થતા દુખાવામાંથી છુટકારો થાય છે.
ઉનાળાના દિવસોમાં વધારે પરસેવો થવાથી ત્વચામાં ઇન્ફેક્શન થવા લાગે છે. એવામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે બળતરા, ખંજવાળ, વગેરે ઉત્પન્ન થાય છે. જેમાંથી રાહત મેળવવા માટે નમકના પાણીથી સ્નાન કરવું શ્રેષ્ઠ વિકલ્પ છે. એવામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમથી થતા ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે.
જો ચહેરા પર ખીલના ડાઘ તેમજ થવાની સમસ્યા હોય તો તેના માટે પાણીમાં 2 ટેબલ સ્પૂન નમક મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.
એક ટબમાં હૂંફાળું પાણી લો, તેમાં 2 ટેબલસ્પૂન નમક મિક્સ કરો ત્યારબાદ તેમાં થોડી વાર માટે પગને ડુબાળીને રાખો, આ રીતે પગના સોજા અને દર્દમાંથી રાહત મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત
April 21, 2021 10:22 AMઅમદાવાદની સિવિલમાં ચાર ગણો ઓક્સિજન વપરાશ, માત્ર 15 દિવસમાં 764 ટન
April 21, 2021 10:17 AMકોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
April 21, 2021 10:13 AMજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech