ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇડીની પુછતાછ માટે જવાની સલાહ આપવા છતાં તેમણે આજે ફરી દિલ્હી લિકર પોલિસી કેસમાં વચગાળાની રાહતની માગણી સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. દિલ્હીના સીએમએ પોતાની અરજીમાં કહ્યું છે કે તેઓ લિકર પોલિસી કેસની તપાસમાં સહયોગ કરવા તૈયાર છે, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને તેમની ધરપકડ ન કરવું જોઈએ.
અરવિંદ કેજરીવાલે EDના તમામ સમન્સની બંધારણીય માન્યતાને હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલે બુધવાર (20 માર્ચ)ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધરપકડમાંથી રાહતની માંગ કરી હતી. તેના પર EDના વકીલ એસવી રાજુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા છે અને બહાના બનાવી રહ્યા છે. સુનાવણી દરમિયાન EDએ કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણીની તારીખ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં ED દ્વારા ધરપકડનો ભય વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે તે ED સમક્ષ હાજર થવા તૈયાર છે. જો તપાસ એજન્સી ખાતરી આપે કે તેની ધરપકડ કરવામાં આવશે નહીં અથવા હાઈકોર્ટે આદેશ આપવો પડશે કે તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં. કેજરીવાલે કહ્યું છે કે, "એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટ સમક્ષ ખાતરી આપવી જોઈએ કે જો હું સમન્સનું પાલન કરીશ, તો તે મારી વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેશે નહીં."
જ્યારથી EDએ કેજરીવાલને શરાબ નીતિ કેસમાં સમન્સ મોકલવાનું શરૂ કર્યું છે, ત્યારથી આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવી રહી છે. AAP નેતાઓનું કહેવું છે કે ED કેજરીવાલને પૂછપરછના બહાને બોલાવીને ધરપકડ કરવા માંગે છે. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ હાઈકોર્ટમાં આ જ વાત કહી.
સિંઘવીએ કોર્ટમાં AAP નેતાઓ સંજય સિંહ અને મનીષ સિસોદિયાની ધરપકડનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે હવે તપાસ એજન્સીઓની કામ કરવાની નવી શૈલી પ્રચલિત છે. સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ ED સમક્ષ હાજર થવા તૈયાર છે. તે તમામ પ્રશ્નોના જવાબ પણ આપશે, પરંતુ તેને સુરક્ષાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech