કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ

  • January 06, 2023 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એગ્રીકલ્ચીરલ ટેકનોલોજી મેનેજમેન્ટા એજન્સી દ્વારા કાલાવડના ખડધોરાજી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ દ્વારા પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવી પ્રાકૃતિક ખેતીમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા.


આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ.આગઠ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સમજાવી તેનાથી તથા ફાયદા વિશે માહિતી આપી હતી. ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જીગ્નેશ પટેલ અને કાલાવડ તાલુકાના વિસ્તરણ અધિકારી સાગર કેરાડીયા દ્વારા ખેડૂતોને જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવી ખેડૂતોને જીવામૃતથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર તાલીમનું આયોજન પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ. આગઠના માર્ગદર્શન હેઠળ કાલાવડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કૃપાલ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application